Category Archives: જાણી/અજાણી જગ્યાઓ

ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત

Kantharpura Mahakali Vad

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામે વડનું એક વિશાળ વૃક્ષ આવેલું છે. વડના આ વિશાળ વૃક્ષના કારણે કંથારપુરા ગામ ગુજરાતભરમાં પ્રસિધ્ધી પામી રહ્યું છે. જેના કારણે કંથારપુરા ગામ પ્રવાસીઓ માટેની પસંદ બની રહ્યું છે.

Kantharpura Mahakali Vad

અમદાવાદથી 51 કિમી. અને ગાંધીનગરથી 30 કિમી. દુર આવેલું કંથારપુરા ગામ તેના 500 વર્ષ જુના વડના કારણે ગુજરાતભરમાં જાણીતું બન્યું છે. 2006 પહેલાં કંથારપુરાની આજુ-બાજુના લોકો જ તેનાથી માહિતગાર હતા. પરંતુ 2006ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કંથારપુરાને પ્રાકૃતિક પ્રવાસ ધામ તરીકે વિકાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ધીરે-ધીરે આ જગ્યાની લોકપ્રિયતા વધવા લાગી અને હાલ ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો આ વિશાળ અને રહસ્યમય વટવૃક્ષની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા છો તો એક દિવસના પિકનિક માટે આ એક પરફેક્ટ જગ્યા છે.

Kantharpura Mahakali Vad

કંથારપુરામાં (Kantharpura Mahakali Vad) આવેલા વડની જાણવા જેવી બાબતો

  • ગુજરાતના વિશાળ વૃક્ષમાં કબીરવડ પછી કરવામાં આવે છે કંથારપુરાના (Kantharpura Mahakali Vad) વડની ગણતરી
  • આ વડનું વૃક્ષ 40 મીટર ઊંચું અને અડધા એકરથી વધુ એટલે કે કુલ 2.5 વિઘા જમીનમાં છે પથરાયેલું
  • વડનું વૃક્ષ બારેમાસ રહે છે લીલુંછમ
Kantharpura Mahakali Vad
  • માન્યતા મુજબ આ વડના વૃક્ષનું આયુષ્ય છે 500 વર્ષ
  • આ વડના મુખ્ય થડમાં આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર
Kantharpura Mahakali Vad
  • અહીંની લોકવાયકા અનુસાર આ વડની નીચે આવેલી છે પુરાતન વાવ
  • હાલના સમયમાં આ વાવના એકપણ પુરાવા મળેલા નથી
  • નવરાત્રીના સમયમાં અહીં ભરાઈ છે લોકમેળો
Kantharpura Mahakali Vad
  • આજુ-બાજુના ગામના લોકો શ્રદ્ધાપૂર્વક આવીને કરે છે મહાકાળી માતાજીના દર્શન
  • આ વડ પર કાયમીપણે વાંદરાઓનું મોટું ટોળુ કરે છે વસવાટ
  • આશરે 50 થી પણ વધારે વાંદરાઓ પોતાના પરિવાર સાથે કરે છે વસવાટ
Kantharpura Mahakali Vad
  • 500 વર્ષ જુનું આ વડનું વૃક્ષ છે પક્ષીઓનુ રહેણાંક સ્થળ
  • સવાર થતાં જ સાંભળવા મળે છે પક્ષીઓનો કલરવ
  • વડના વૃક્ષની વિશાળતા આવનાર સૌને કરી દે છે મંત્રમુગ્ધ
  • અહીં મુલાકાતે આવતા જ દુરથી વિશાળ છત્રાકાર આકાર પડે છે નજરે
Kantharpura Mahakali Vad

કોઈપણ વ્યક્તિ વડને (Kantharpura Mahakali Vad) નુકશાન પહોંચાડવાની કે કાપવાની નથી કરતુ હિંમત

આ વડ દિવસે ને દિવસે જમીનમાં ચારેય દિશામાં આગળ ને આગળ વધતું જઈ રહ્યું છે. કંથારપુરા ગામના ખેડૂતોની જમીનના વીઘાનો ભાવ લાખોમાં છે. તેમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને કારણે લાખોની જમીન વડ માટે જતી કરે છે અને મંદિરને દાનમાં આપી દે છે. આ વડ જમીનમાં ફેલાતું જઈ રહ્યું છે એની પાછળ ધાર્મિક આસ્થા તો જવાબદાર છે પણ સાથે સ્થાનિકોનું એવું પણ માનવું છે કે જો કોઈ વ્યક્તિ વડને નુકસાન પહોંચાડે છે તો એ વ્યક્તિને પણ નુકશાન પહોંચે છે. આ કારણના લીધે કોઈપણ વ્યક્તિ વડને નુકશાન પહોંચાડવાની કે કાપવાની હિંમત કરતું નથી. આમ કોઈ આસ્થાના લીધે પોતાની જમીન મંદિરને દાનમાં આપી દે છે તો કોઈ નુકશાન થવાના ડરે વડને કાપતા નથી અને ખેતરમાં ફેલાવા દે છે. આ બંને કારણોના લીધે આજના સમયની વાત કરીએ તો આ વડ અડધા એકર કરતા પણ વધારે જમીનમાં ફેલાઈ ગયું છે.

Kantharpura Mahakali Vad

આ વિશાળ વડને કારણે કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામમાં વિકસ્યું છે પ્રવાસન

ગુજરાતના વટવૃક્ષમાં કબીરવડ પછી કંથારપુરાના વડની ગણતરી થાય છે. આ વડ પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ તો ધરાવે જ છે. પરંતુ આ વડને કારણે કંથારપુરા ગામમાં પ્રવાસન પણ વિકસ્યું છે જેના લીધે સ્થાનિકોને રોજગારી મળતી થઈ છે. વડની આજુ-બાજુ કુલ 25 કરતાં વધારે નાની-મોટી દુકાનોની સાથે પાથરણાં આવેલા છે, આ દુકાનો અને પાથરણાંના કારણે 35 થી 40 પરિવારોનું ગુજરાન ચાલે છે. આ પરિવારો દ્વારા પૂજાનો સામાન, બાળકો માટે રમકડાંઓ અને ખાણી-પીણીની વસ્તુઓ વહેંચીને પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે.

Kantharpura Mahakali Vad

આડા દિવસે તો મહાકાળી માતાજીના મંદિરમાં લોકો દર્શન માટે આવે જ છે. પરંતુ ખાસ કરીને પૂનમ તેમજ તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે અહીં આવતાં હોય છે. જયારે નવરાત્રીના સમયમાં યોજાતા મેળામાં પણ લોકોની ખાસ ભીડ જોવા મળે છે. આ સાથે ડીજીટલ યુગમાં ઈન્ટરનેટ અથવા તો કોઈ બીજા માધ્યમથી આવડા મોટા વડની વાત સાંભળીને લોકો કુતૂહલવશ થઈને આ વડને જોવા માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી કંથારપુરા ગામની મુલાકાતે આવે છે. આમ હાલમાં કંથારપુરા ગામ આ વડનાં કારણે પીકનીક સ્પોટ પણ બની ગયું છે.

મહાકાળી માતાજીના મંદિરમાં આવેલી છે માતાજીની 2 મૂર્તિ

અહીં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની બે મૂર્તિ છે. સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે એક મૂર્તિ સ્વયંભુ પ્રગટ થયેલી છે જયારે બીજી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી. અહીંયા રોજે સવાર-સાંજ માતાજીની આરતી થાય છે. જેમાં માતાજીના બંને મૂર્તિની વિશેષરૂપે પુજા કરવામાં આવે છે. જેમાં માતાજીનો શણગાર કરવામાં આવે છે. મંદિરમાં ઘીનો એક અખંડ દીવ પ્રગટે છે, મહાકાળી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

Kantharpura Mahakali Vad

વડની જાણવા જેવી માહિતી

વડના વૃક્ષને ભારતનાં “રાષ્ટ્રીય વૃક્ષ” તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. વડનું વૃક્ષ ઘટાદાર અને મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. વર્ષો પુરાણા અને મોટા વડની ડાળીઓમાંથી નવાં મૂળ ફુટે છે જેને “વડવાઇ” કહેવાય છે. આ વડવાઇઓ સમય જતાં વધતી જાય છે અને ત્યારબાદ જમીનમાં રોપાઈ જાય છે. આ રીતે વૃક્ષનો વિસ્તાર વધતો જાય છે અને વૃક્ષ ફેલાતું જાય છે. ઘણીવાર એવું બને છે કે આવા ઘનઘોર વૃક્ષના મૂળ થડની માહિતી જ નથી મળી શકતી. આવું જ એક વૃક્ષ ગુજરાતના નર્મદા કિનારે આવેલું કબીરવડ છે. જે અંદાજે 300 વર્ષથી વધારે જુનું છે. એવું કહેવાય છે આ વૃક્ષ એટલું મોટું છે કે એના નીચે 5000 કરતા વધારે લોકો આરામ કરી શકે છે.

Read Also

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

Kantharpura Mahakali Vad

વડનાં આ વૃક્ષ પર લાલ રંગનાં નાનાં-નાનાં ફળ આવે છે. જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. વડનાં આ ફળને “ટેટા” કહેવાય છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં આ ફળ જુદાં-જુદાં નામથી ઓળખાય છે. આ સાથે વડનું વૃક્ષ પૂજનીય માનવામાં આવે છે. કુમારિકાઓ વડ સાવિત્રીના વ્રત વખતે વડના વૃક્ષની પૂજા કરે છે. તેમજ વડનું વૃક્ષ કુદરતી ઓક્સિજનની ખાણ માનવામાં આવે છે. આ ઉપરાંત વડનું વૃક્ષ આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. ઘણા બધા રોગોમાં વડનું વૃક્ષ એક ઔષધિ તરીકે પણ કામ કરે છે.

  • મહાકાળી વડ, કંથારપુરા (કંથારપુરા) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 51 km.) – Rs.1500-2000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1000 – 1500
  • જમવાનો ખર્ચ – Rs.800 – 1200
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.500 – 1000
  • કુલ – આશરે 3,300 થી 5,700/—
  • અંતર (Distance)
  • સુરતથી – 302 km.
  • વડોદરાથી – 148 km.
  • અમદાવાદથી – 51 km.
  • રાજકોટથી – 266 km.
  • કચ્છ – 424 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કંથારપુરા બસ સ્ટોપ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ

માં રેવાની ગોદમાં આવેલ આ ધોધ છે પ્રકૃતિનો ખજાનો, નેચરલ વોટરપાર્ક, ઇકો કેમ્પસાઈટ સાથે બીજું ઘણુબધું…

Posted By admin July 4, 2021
zarwani waterfall0

ઉનાળાના આકરા અને અસહ્ય તાપથી કંટાળી ગયા છો?, તો ચોમાસાની સિઝનમાં શરીર સાથે આંખને ઠંડક આપવા માટે તૈયાર થઇ જાઓ. traveltoculture.com તમારી વર્ષાઋતુ વ્યર્થ ન જાય એ માટે આજે તમને ઝરવાણી ધોધની (Zarwani Waterfall) શાબ્દિક સફરે લઈ જશે.

વર્ષાઋતુનું આગમન થાય ત્યારે કવિઓ અને કુદરત પ્રેમીઓ માટે તો જાણે અનેરો અવસર… એમાં પણ આ સમય દરમ્યાન જો નદી, તળાવ કે ધોધની મુલાકાત ન લઈએ તો વર્ષાઋતુ અધૂરી જ ગણાય… તો રાહ શેની જુઓ છો તૈયાર થઇ જાઓ ઝરવાણી ધોધ (Zarwani Waterfall) જવા માટે પણ એ પહેલા ત્યાં કઈ રીતે જવું?, ક્યાં રહેવું?, અને ત્યાં શું-શું જોવા માટે આ આર્ટીકલ વાંચી લો.

zarwani waterfall
www.gujarattourism.com

ઝરવાણી ધોધ ક્યાં આવેલો છે? (Zarwani Waterfall)

ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં, નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિ.મી.ના અંતરે, થાવડીયા ચેકપોસ્ટથી 7 કિ.મી.ના અંતરે અને શૂરપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આ નયનરમ્ય સ્થળ આવેલું છે. આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને વન્યજીવો જોવા મળે છે. સાતપુડાની પર્વતમાળામાં આવેલી આ જગ્યા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, પક્ષીઓનો કલરવ અને ખળખળ વહેતા ઝરણાં મનને પ્રફુલિત અને તાજગીમય બનાવે છે.

zarwani waterfall
www.gujarattourism.com

આમ તો ઝરવાણી ધોધ (Zarwani Waterfall) ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણ સુધીના નદીના પાણીમાં આશરે 500 મીટર સુધી ટ્રેકિંગ કરીને જવુ પડે છે. જે રોમાંચની અનુભૂતિ કરાવે છે તેમજ આ જગ્યા એડવેન્ચર એક્ટિવિટી માટે પણ લોકપ્રિય છે. ઝરવાણી ધોધથી ઉપર તરફ જતો રસ્તો ઝરવાણી ગામ તરફ પર્વત પર જાય છે. ત્યાં વન વિભાગ દ્વારા તૈયાર કરેલું એક રેસ્ટ હાઉસ પણ આવેલું છે. તેની પાછળ વળાંક લેતી નદીથી બનતો નેકલેસ પોઇન્ટ જોવાની મજા જ કંઈક ઔર છે. તેમજ પ્રિવેડિંગ ફોટોશૂટ માટે પણ અહીં બેસ્ટ લોકેશન મળી રહે છે. પરંતુ એના માટે ફોરેસ્ટ વિભાગની પરમિશન અચૂક લઈ લેવી. ક્યારેક એવું પણ બને છે કે ઝરવાણી ધોધ જવા માટે પણ પરમિશનની જરૂર પડતી હોય છે. તો જયારે પણ ઝરવાણી ધોધ (Zarwani Waterfall) જવાનો પ્લાન કરો ત્યારે આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી અને ત્યાં જાવ તો પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે એ પાછું ભૂલી ન જતાં.

zarwani waterfall
www.gujarattourism.com

ભવિષ્યમાં શરુ થનારી એડવેન્ચર એક્ટિવિટી

ઝરવાણી ધોધ ખાતે વન વિભાગ ગોરા રેન્જ દ્વારા પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ, સ્વદેશી બનાવટોનું સ્પા, પેરાગ્લાઇડિંગ, બંજી જમ્પિંગ, રૉક ક્લાઇમ્બિંગ, હાઈ જમ્પ, ઝીપ લાઈન સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવશે. કદાચ એવું પણ બની શકે કે જયારે તમે આ આર્ટીકલ વાંચતા હશો ત્યારે આ સુવિધાનો લાભ મળવાનું શરુ પણ થઇ ગયું હોય.

એક દિવસના ગાઇડેડ ટુરનું પણ કરી શકો છો આયોજન

વર્તમાન સમયમાં ઝરવાણી ધોધ ઇકો કેમ્પસાઈટ તરીકે પણ વિકાસ પામ્યો છે. વન વિભાગની મદદથી આસપાસની પ્રકૃતિ અને પ્રાણીઓને નિહાળવા માટે એક દિવસીય ગાઇડેડ ટુરનું આયોજન પણ કરી શકાય છે. જેમાં દીપડા, રીંછ, વિવિધ જાતિના હરણ અને જંગલી કૂતરા, વાનરો જેવા વન્યજીવની સાથે-સાથે નજીકનાં જોવાલાયક સ્થળોમાં શૂરપાણેશ્વર મંદિર અને ગીર ખાડીનો સમાવેશ કરી શકાય છે. તેમજ ઇકો ટૂરિઝમ કમિટી દ્વારા માર્ગદર્શન કેન્દ્ર, કોટેજ, ડોરમેટરી, કેમ્પ ફાયર અને ભોજન જેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

zarwani waterfall
www.gujarattourism.com
zarwani waterfall
www.gujarattourism.com

સાતપુડા અને વિંધ્યાચલની પર્વતમાળા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે, આ સાથે ઝરવાણી ધોધ એક નેચરલ વોટરપાર્કની પણ અનુભૂતિ કરાવે છે. જો તમે હરવા-ફરવાના શોખીન છો અને પ્રકૃતિપ્રેમી છો તો તમારે ચોમાસામાં ખાસ આ ધોધની મુલાકાત લેવી જોઈએ.

zarwani waterfall
www.gujarattourism.com
zarwani waterfall
www.gujarattourism.com

ઇકો કેમ્પસાઇટનો ખર્ચ

  • ટ્વીન હટ (કોટેજ) – Rs.1000/per day
  • ડોરમેન્ટરી – Rs.200/per day
  • રૂમ – Rs.1000/per day
  • ટેન્ટ – Rs.500/per day

Read Also

400 ચોરસ કિમી.માં પથરાયેલું ગુજરાતનું આ જંગલ છે અચૂક જોવા જેવુ

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

zarwani waterfall
www.narmada.nic.in
  • ઝરવાણી ધોધ (નર્મદા) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 204 km.) – Rs.5000 – 7,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.200 – 1000
  • જમવાનો ખર્ચ – Rs.1200 – 2000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 2000
  • કુલ – આશરે 7,600 થી 12,000/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 153 km.
  • વડોદરાથી – 96 km.
  • અમદાવાદથી – 204 km.
  • રાજકોટથી – 385 km.
  • કચ્છ – 600 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કેવડીયા બસ સ્ટોપ, કેવડિયા રેલ્વે સ્ટેશન, વડોદરા એરપોર્ટ

આલેખન – રાધિકા મહેતા

ગુજરાતની આ ગુફા છે અનોખી, ગુફામાં પ્રવેશતા જ થશે કુદરતી ACનો અહેસાસ સાથે જોવા મળશે સોનાની માટી

Posted By admin July 4, 2021
Jambuvanti Caves

પોરબંદરના બરડા ડુંગરની ગોદમાં અનેક પ્રવાસન સ્થળો વિકાસ પામ્યા છે. બરડા ડુંગરમાં રાણાવાવ નજીક આવેલી આ જાંબુવંતી ગુફા (Jambuvanti Caves) પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત છે. આ ગુફા શિવભક્તો, પ્રવાસીઓ તેમજ ઇતિહાસકારોને આકર્ષે છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ કુદરતી રીતે શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં… ગુફામાં ટપકતાં પાણીથી રચાતા અનેક સ્વયંભૂ શિવલિંગ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

Jambuvanti Caves
Jambuvanti Caves

જાંબુવત કોણ હતા?


પરશુરામ અને હનુમાનજી સિવાય રીંછરાજ જાંબુવત જ એક એવા દિવ્ય પુરુષ છે જે ભગવાન વિષ્ણુના બંને અવતાર એવા શ્રીરામ અને શ્રીકૃષ્ણના કાળમાં પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. કહેવાય છે કે ખુદ બ્રહ્માએ જાંબુવતને આ ધરતી પર મોકલ્યા હતા.

જાંબુવત અને ભગવાન શ્રીકૃષ્ણના યુદ્ધની કથા/ઈતિહાસ

ભાગવતપુરાણ અનુસાર યાદવોના આગેવાન સત્રજીતએ સૂર્યદેવની ઉપાસના કરીને સ્યમંતક નામની મણી પ્રાપ્ત કરી હતી. કહેવાય છે કે આ મણી રોજ 8 ભાર જેટલું સોનુ આપતી હતી. આથી સત્રજીતે તેને પૂજાસ્થાને મૂકી હતી. જેથી તેની સંપત્તિમાં વૃદ્ધિ થવા લાગી. શ્રીકૃષ્ણએ સત્રજીતને આ મણી ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે માન્યો નહી. ત્યારબાદ એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન પૂછ્યા વગર આ મણી લઈને શિકાર કરવા ગયો હતો. જ્યાં તે પોતે સિંહનો શિકાર બન્યો અને મણી પણ સિંહના પેટમાં પહોંચી. જો કે આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવતે કર્યો. આમ સ્યમંતક મણી જાંબુવતને મળી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણી ચોરવાનો ખોટો આરોપ લાગ્યો.

આથી ભગવાન શ્રીકૃષ્ણ એ મણીની શોધમાં નીકળતા મણી જાંબુવત પાસે હોવાની તેમને જાણકારી મળી, આમ જ્યારે શ્રીકૃષ્ણ મણી લેવા જાંબુવત પાસે પહોંચ્યા તો જાંબુવત ભગવાનને ઓળખી શક્યા નહિ અને તેમની વચ્ચે લગભગ 28 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ પણ છે. આ યુદ્ધના અંતિમ દિવસે જાંબુવતને આ વાતનો અહેસાસ થયો કે શ્રીકૃષ્ણ સ્વયં પ્રભુ શ્રીરામના જ અવતાર છે. આથી જાંબુવતએ હાર સ્વીકારીને યુદ્ધ અટકાવ્યું અને તેમના પુત્રી જાંબુવંતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે આ ગુફામાં (Jambuvanti Caves) કરાવ્યા. આમ આ ગુફાને જાંબુવંતીની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જાંબુવત સ્યમંતક મણી અને પુત્રી જાંબુવંતીને ભગવાનને અર્પણ કરતો ફોટો, સ્વયંભૂ જલધારા અને દક્ષિણાભિમુખ શંખ આ ગુફામાં હાલ દર્શનાર્થે રાખેલા છે.

Jambuvanti Caves
Daya Sankh

જાંબુવંતી ગુફા (Jambuvanti Caves) વિશે જાણવા જેવી બાબતો

  • ગુફા ચુનાનાં ખડકોમાં આવેલી હોવાથી ઉનાળાના ભયંકર તાપમાં પણ આ ગુફામાં રહે છે ઠંડક
  • ગુફાનું મુખ કૂવા કે વાવ જેટલું નાનું છે, તેનો પ્રવેશદ્વાર પણ સાંકડો છે, પરંતુ બહારથી સાંકડી લાગતી આ ગુફા અંદરથી છે લાંબી અને પહોળી
Jambuvanti Caves
  • ગુફાની અંદર આવેલી માટીને પ્રકાશમાં જોવામાં આવે તો તેમાં સોનાની જેમ ચમકતા અબરખનું મિશ્રણ મળે છે જોવા
  • સોનાની જેમ ચમકતી હોવાને કારણે આ માટીને કહેવાય છે “સોનાની માટી”
  • સોના જેવી ચમકતી માટી જોઇને ઘણાં લોકો મૂઠી ભરીને એ માટી પોતાની સાથે લઇ જાય છે પણ આવું કરવાથી ઘરમાં નુકનાશ થાય છે એવી ગુફામાં લગાડવામાં આવી છે નોટીસ
  • અહીં લોકમાન્યતા પ્રમાણે કહેવાય છે કે ગુફામાં મહંતના આશીર્વાદથી માનસિક રીતે બિમાર લોકો માટે જો આ જગ્યાની માનતા માનવામાં આવે તો દૂર થાય છે બિમારી
  • ત્યાંના મહંતને ઘડીયાળ અતિપ્રિય હોવાથી માનતા પૂરી કરવા માટે લોકો ચડાવે છે ઘડિયાળ
  • ત્યાંની કોઈ ઘડિયાળ પસંદ આવી જાય તો તેમાં લાગેલા પ્રાઈઝ ટેગ જોઈને ખરીદી શકો છો ઘડિયાળ
  • અન્ય એક માન્યતા અનુસાર આ ભોંયરાનો એક માર્ગ કૃષ્ણનગરી દ્વારકા અને બીજો માર્ગ ખૂલે છે જૂનાગઢ તરફ
  • ગુફામાં પ્રવેશતા લોકોને અંધારું ન લાગે તે માટે અહીં લાઇટની પણ કરવામાં આવી છે વ્યવસ્થા
Jambuvanti Caves

સ્વયંભુ શિવલિંગોની રચના કેવી રીતે થઇ?

ચુનાનાં ખડકમાં ગુફા આવેલી હોવાથી તેની છતમાંથી હજારો વર્ષથી સતત પાણી ટપકતું હોવાથી શિવલિંગોનું સર્જન થાય છે. આ પ્રકારના ચુનાનાં પત્થર જાંબુવંતીની ગુફા (Jambuvanti Caves) ઉપરાંત બરડા ડુંગરમાં આલોચ,ગોપ અને કેલિફોર્નિયામાં જોવા મળે છે. આમ આ ગુફા હજારો વર્ષ જૂની હોવાના પુરાવા આ શિવલિંગો આપે છે. શિવલિંગો બનવા પાછળનું રહસ્ય ચુનાનાં ખડક છે પણ તેમ છતાં લોકો તેને ચમત્કાર માને છે અને લાખોની સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે.

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતી અને લુપ્ત થતી એવી નૃત્ય કળા કે, જેમાં પુરુષો ધારણ કરે છે માતાજી જેવા જ વસ્ત્રો

  • જાંબુવંતી ગુફા (રાણાવાવ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા-જવા સાથે (અમદાવાદથી 386 km.) – Rs.9000 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3000
  • જમવાનો ખર્ચ – Rs.1800 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 13,800 થી 18,500/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 616 km.
  • વડોદરાથી – 434 km.
  • અમદાવાદથી – 386 km.
  • રાજકોટથી – 173 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – રાણાવાવ બસસ્ટોપ, રાણાવાવ રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ

વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી

જાણીતી હોટલો –

આલેખન – રાધિકા મહેતા

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

Posted By admin June 10, 2021
Nadabet seema darshan

આપણા દેશના જવાનો કે જે આપણી સુરક્ષા માટે દિવસ-રાત જાગે છે. જેથી આપણે શાંતિથી ઊંઘી શકીએ, દેશના આ સપૂતો દેશ માટે પોતાના પ્રાણ કુરબાન કરવાના આવે તો પણ પીછેહઠ નથી કરતાં કે એક મિનિટ પણ વિચારતા નથી. આવા શુરવીરોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણી છાતી ગજ-ગજ ફૂલી જતી હોય છે. આપણાં દેશમાં ભારત-પાકિસ્તાનની સરહદે વાઘા બોર્ડર ખાતે જે ડ્રીલ રિટ્રીટ થાય છે. એ જોઈને સવાશેર લોહી વધી જાય છે. આવી જ વાઘા બોર્ડર હવે ગુજરાતમાં પણ છે. બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના નડાબેટ (Nadabet Seema Darshan) ખાતે ઝીરો પોઇન્ટ ઉપર ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી છે.

 Nadabet seema darshan
courtesy – www.gujarattourism.com

નડાબેટ બોર્ડર (Nadabet Seema Darshan) ખાતે ઝીરો પોઇન્ટ પર સીમા દર્શનની શરૂઆત કરવાનો વિચાર કઈ રીતે આવ્યો?

2016માં જ્યારે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, જવાનોની કામગીરીને લોકો નજીકથી નિહાળી શકે અને બિરદાવી શકે તે માટે સીમા દર્શન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ફક્ત 2 મહિના જેવા નજીવા સમયમાં આ વિચારનો અમલ પણ કરવામાં આવ્યો. જેથી વાઘા બોર્ડર બાદ સૂઇગામનું નડાબેટ દેશનું બીજુ સ્થળ બન્યુ છે કે જ્યાં હવે રિ-ટ્રીટ યોજાઈ રહી છે. આવા ઉમદા વિચારથી લોકોને જવાનોના જીવનચર્યાને નજીકથી જાણવાનો મોકો તો મળશે જ સાથે આ વિસ્તાર પ્રવાસન તરીકે પણ વિકાસ પામશે. જેથી લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે.

 Nadabet seema darshan
courtesy – www.gujarattourism.com

સીમા દર્શન (Nadabet Seema Darshan) કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી?

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા 24 ડિસેમ્બર, 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમાદર્શન (Nadabet Seema Darshan) કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી, આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે.

 Nadabet seema darshan

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, બોર્ડર ટુરીઝમનો આ નવતર અભિગમ રાજય-રાષ્‍ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો, બોર્ડરને માણવાનો અવસર આપશે. આ સાથે સરહદ સાચવતા BSF જવાનોની જીવનચર્યા-કપરા સંજોગોમાં તેમની વતનરક્ષા પરસ્તીને પણ પ્રત્યક્ષ અનુભવવાનો આ પ્રયોગ ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને નવી દિશા આપશે એવું પણ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતની સમુદ્રી સીમા સાથે જમીની સરહદ પણ દુશ્મન સાથે નજદીકથી જોડાયેલી છે. જો આ સરહદી યુધ્ધ થાય તો BSF એ સીધો દુશ્મન દળોનો મુકાબલો કરવો પડે. આ સંદર્ભમાં BSF જવાનોની દિલેરી-જવામર્દીને સૌ કોઇ જાણે એવા હેતુથી આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્ન ઉપર શરૂ કર્યો છે.

આપણાં દેશમાં ભારત-પાકિસ્તાનની સરહદે વાઘા બોર્ડર એકમાત્ર એવી સરહદ ચોકી છે કે, જયાં બંને રાષ્‍ટ્રોની ડ્રીલ રિટ્રીટ જોવાનો અને જાણવાનો રોમાંચ મળતો હોય છે. પરંતુ હવે ગુજરાતના બનાસકાંઠાની આ સરહદે નવું બોર્ડર ટુરીઝમનું નજરાણું દેશને ભેટ ધર્યું છે.

courtesy – www.gujarattourism.com

સીમા દર્શન કાર્યક્રમમાં શું-શું જોવા મળશે?

સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ન ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા એ મળે છે. BSFની આ રિટ્રીટ સેરિમની અહીંનું મુખ્ય આકર્ષણ છે. જેને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો નડા બેટ ખાતે ઉમટી પડે છે.

courtesy – www.banaskantha.nic.in

આ સાથે ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના જે ખેલ યોજવામાં આવે છે. જેના ખૂબ જ વખાણ થાય છે. આ ઉપરાંત તમને BSFના કેમ્પ પર હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSFના જવાનોની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળવાનો મોકો મળશે.

courtesy – www.gujarattourism.com

આ બોર્ડર ટુરીઝમ સાથે ઘુડખર, ફ્લેમીંગો-ડેઝર્ટ સફારી પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

courtesy – www.gujarattourism.com

નોંધ : આ સીમા દર્શન (Nadabet Seema Darshan) કાર્યક્રમનું આયોજન દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે થાય છે. પરંતુ આપણે 5 વાગે એટલે આપણી જગ્યા પર ગોઠવાઈ જવું જેથી આ દેશનું રક્ષણ કરનાર જવાનોની પરેડને નજીકથી જોવાનો મોકો મળે. આ માટે BSF દ્વારા એક બસ ચાલુ કરવામાં આવી છે. જે લોકોને બસની સગવડતા ન લેવી હોય તો એવા લોકો પોતાના પ્રાઇવેટ વાહનમાં પણ જઈ શકે છે. જ્યારે પણ તમે અહીં જાઓ ત્યારે તમારું ID પ્રુફ સાથે રાખવાનું ખાસ યાદ રાખજો.

આ ડિજિટલ યુગમાં આપણે કોઈ પણ જગ્યાએ જઈએ એટલે ફોટો પાડીને ફેસબૂક ને ઇન્સ્ટગ્રામમાં અપલોડ કરવાનું તો જાણે ચલણ બની ગયું હોય એવું લાગે છે. એ વાતને ધ્યાનમાં રાખીને રણમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં તમે મસ્ત ફોટોની સાથે સેલ્ફી પણ લઇ શકશો ને તમારી આ પળને યાદગાર બનાવી શકશો.

BSF કેમ્પના જવાનો શ્રધ્ધાથી કરે છે નડેશ્વરી માતાની પુજા-આરાધના

નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. અહીં માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ ધરતીમાતાનું રક્ષણ કરતાં સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી 20 કી.મી. દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ ‘નડાબેટ’ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે.

courtesy – www.gujarattourism.com

દર વર્ષ ચૈત્ર નોમના દિવસે અહીં મેળો ભરાય છે. જેમાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા BSF કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. કોઈ પૂજારી નહિ પણ દેશના જવાનો જ આરતી ઉતારતા હોય તેવું આ અલૌકીક સ્થાનક છે.

BSF જવાન અને પૂજારી, અંજન પાંડે આ મંદિર અંગે જણાવે છે કે, રણ વિસ્તારમાં કોઈજ પૂજા માટે આવતું ન હતું. જેથી વર્ષોથી આ મંદિર માં દેશની સુરક્ષા કરતા જવાન જ પૂજા કરે છે. અહિયાં રોકવા માટે ધર્મશાળા પણ છે. જ્યાં નજીવા ખર્ચે તમે રોકાઈ પણ શકો છો.

Read Also

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

નોંધ : અહીં એક દિવસમાં ફક્ત 600 લોકોને જ વિઝીટ કરવાની પરવાનગી છે.

  • સીમા દર્શન (નડા બેટ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 540 kms) – Rs.6,000 – 9,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2500 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.2000 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500 – 2000
  • કુલ – 12000 થી 16000/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 524 km.
  • વડોદરાથી – 372 km.
  • અમદાવાદથી – 268 km.
  • રાજકોટથી – 320 km.
  • કચ્છથી – 363 km.

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

Posted By admin June 5, 2021
Lothal

સિંધુ નદી અને તેમાં વિલીન થતી ઝેલમ, ચીનાબ, રાવી અને સતલુજ નદીઓનો પ્રદેશ એ આપણી સંસ્કૃતિનો ઐતિહાસિક યુગનો પુરાતન પ્રદેશ છે. આ પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સંસ્કૃતિને કાંસ્યાયુગીન સંસ્કૃતિ પણ કહે છે, કેમકે ત્યાં તાંબુ અને ટિનનો ઉપયોગ કરીને કાંસુ બનાવવામાં આવતું અને તેનો ઉપયોગ ઘરવપરાશ માટે કરવામાં આવતો હતો.

વિવિધ પ્રદેશોમાંથી ઉત્ખનન કરાતા મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના અવશેષો

ઈ.સ.1921માં હડપ્પાના (જિ.મોન્ટગોમરી,પાકિસ્તાન) મહત્વની પ્રતીતિ થતાં આ સ્થળોએ વિસ્તૃત ઉત્ખનન કરાતા સિંધુસભ્યતા કે હડપ્પા સંસ્કૃતિ (સૌપ્રથમ અવશેષ હડપ્પા નામના સ્થળેથી મળ્યા હોવાથી) તરીકે ઓળખાતી ભારત-પાકિસ્તાન ઉપખંડની પ્રથમ નગર-સભ્યતાનાં બે મહાન નગરો હડપ્પા અને મોંહે-જો-દડોના અવશેષ મળી આવ્યા હતા. આ સંસ્કૃતિનાં સંખ્યાબંધ સ્થળ પંજાબ, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ મળી આવ્યા છે. તે પૈકી દક્ષિણ ગુજરાતમાં કીમ નદીને કિનારે આવેલું ભાગા તળાવ, સૌરાષ્ટ્રમાં રંગપુર (ગુજરાતમાંથી શોધાયેલ સૌપ્રથમ નગર) અને રોજડી, કચ્છનું દેશળપુર અને ધોળાવીરા તથા અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાનાં લોથલમાંથી (Lothal) આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલની શોધ (Lothal)

અમદાવાદથી 80 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલ આ પ્રાચીન જગ્યા ઉપર આજથી 4500 વર્ષ પહેલા સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું શહેર આવેલું હતું. સિંધુ સંસ્કૃતિનો વ્યાપ અત્યારના પાકિસ્તાન સુધી ફેલાયેલો હતો. ભારત સરકારના પુરાતત્વ વિભાગના પ્રો.એસ.આર.રાવ અને તેમની ટીમે 1955 થી 1962 દરમ્યાન સંશોધન કરતાં આ પ્રાચીન શહેર લોથલ (Lothal) મળી આવ્યું. આ નગરમાંથી મળેલા અવશેષો ઈ.સ.પૂર્વેનાં 2500 થી 1900 દરમ્યાનનાં હોવાનું માનવામાં આવે છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

ખનન પ્રવૃત્તિ કરીને જાણવા મળ્યું કે અહીં સાબરમતીના કાંઠા ઉપર આવેલું વિશ્વનું સૌથી જૂનું કૃત્રિમ બંદર આવેલું હતું. આ જગ્યા ઉપર એક કિલ્લા બંધ શહેર, બહારનો વિસ્તાર, મણકાઓની ફેક્ટરી, વખાર અને ગટર વ્યવસ્થા આવેલી હતી.

પુરાતત્વવિદોએ શોધ્યું કે અહીં આવેલી કેનાલો અને બંદરોને કારણે આ શહેર વેપારનું એક મહત્વનું મથક હતું. અહીંના અવશેષોથી જાણવા મળે છે કે અહીંથી મેસોપોટેમિયા, ઈજિપ્ત અને પર્શિયા જેવા દેશો સાથે વ્યાપાર થતો હતો. અહીંથી બજાર અને બંદર ધરાવતી એક આખી ટાઉનશીપ મળી આવી છે.

Lothal
Photo Courtesy – Anuj Acharya

લોથલ (Lothal) નામનો અર્થ

એવું કહેવાય છે કે લોથલ એ બે શબ્દો; લોથ અને થલના જોડાણથી બનેલો છે. આ શબ્દોનો ગુજરાતી અર્થ “મડદાઓનો જથ્થો” એવો થાય છે. આ શહેર ઇસ પૂર્વે 3700માં વસ્તી ધરાવતું હતું અને આ એક સમૃદ્ધ વેપારી મથક હતું. 13 ફેબ્રુઆરી 1955થી 19 મે 1960 સુધી ભારતના પુરાતત્વ ખાતાએ અહીં ખનન કરતા આ શહેર મળી આવ્યું હતું. પુરાતત્વ વિદોનું માનવું છે કે આ શહેર સિંધથી સૌરાષ્ટ્રને જોડતા પ્રાચીન વેપારી જળમાર્ગનો એક મહત્વનો હિસ્સો હતું. અર્વાચીન ભારતના ઇતિહાસની સૌથી મહત્વની અને સૌથી વધુ પુરાતત્વ શોધખોળ આ વિસ્તારમાંથી મળી આવી છે.

લોથલની વિશેષતા

  • લોથલની પ્રમુખ વિશેષતા એટલે વાહન લાંગરવા માટેનો ડોકયાર્ડ
  • આ ડોકયાર્ડ 215 મીટર લાંબુ, 38 મીટર પહોળું અને 1 મીટર ઊંડું છે, તેની આજબાજુ પકવેલી ઈંટોની દીવાલનો બંધ બાંધવામાં આવ્યો હતો.
  • આ ડોકયાર્ડની ક્ષમતા 650 ક્વિન્ટલ વજન ધરાવતા વાહનોની હતી.
  • અહી મકાનો પણ વિશાળ હતા.
  • સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે.
  • ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
  • આ ઉપરાંત લોથલમાં મળેલી વખારો(Warehouse) અને દુકાનો દર્શાવે છે કે આ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતું ભારતનું સમૃદ્ધ બંદર હશે.
  • લોથલમાં બારીક છીદ્રો ધરાવતા મણકા પણ મળી આવ્યા હતા.
  • અહીં મણકા બનાવવાનું કારખાનું, અગ્નિકુંડ, અનાજ દળવાની ઘંટીના અવશેષો પણ મળી આવ્યા.
  • કલાત્મક માટીના વાસણો લોથલની માટી કલાની વિશિષ્ટતા દર્શાવે છે.
  • લોથલમાં સ્ત્રી અને પુરુષના જોડિયાં શબ મળી આવ્યાં છે જે અવશેષ ‘સહમરણ નો રિવાજ’ સૂચવે છે.
  • અહીં એક બાળકના શબમાં તેની ખોપડીમાં કાણું પડેલું જોવા મળે છે. જે કદાચ મગજમાં શસ્ત્રક્રિયા કરવામાં આવ્યાના સંકેત છે.
  • આ વિસ્તારની આજુ બાજુ કપાસ અને ચોખાનું ઉત્પાદન કરવામાં આવતું.
  • આ બંદરથી પશ્ચિમ એશિયાના પ્રદેશમાં અર્ધ કિંમતી પત્થરો, મણકાઓ, તાંબુ, હાંથી દાંતની વસ્તુઓ, શંખ અને કપાસનો વેપાર કરવામાં આવતો હતો.
Photo Courtesy – Anuj Acharya

લોથલના અવશેષોનું મ્યુઝિયમ

  • લોથલના (Lothal) અવશેષોનું એક મ્યુઝિયમ છે.
  • જેની સ્થાપના ઇ.સ. 1976માં કરવામાં આવી.
  • મ્યુઝિયમમાં આવેલા છે ત્રણ વિભાગ
  • જેમાં એકમાં લોથલની સંભવિત કલાકૃતિ, બીજામાં મણકાઓ અને તેની બનાવટ, માટીના વાસણો, આભૂષણો, પ્રાચીન મહોર, માનવચિત્ર, ધાર્મિક પ્રતીકો અને રોજબરોજમાં વપરાતી ચીજવસ્તુઓનું પ્રદર્શન પ્રવાસીઓ માટે રાખવામાં આવેલ છે.
  • ત્રીજા વિભાગમાં નાની-નાની મૂર્તિ, ઈંટો, રમકડાં વગેરે અવશેષો જોવા મળે છે.
  • અહીં લોથલની (Lothal) પરિકલ્પના કરતુ ડમી સ્ટેચ્યું પણ બનાવવામાં આવ્યું છે.

ખાસ નોંધ : આ મ્યુઝિયમ રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને શુક્રવારે બંધ હોય છે.

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

લોથલનો વિનાશ

લોથલ (Lothal) શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલના મકાનોમાં ઉપરા-ઉપરી ત્રણ થર મળ્યા છે. જે પરથી અનુમાન લગાવી શકાય કે ત્યાં મકાનો એક જ પાયા પર જુદા-જુદા સમયે બંધાયા હશે. નગરના વિનાશની શરૂઆત ઇ.સ. પૂર્વે 1900 થી શરૂ થયેલો જેમાં મુખ્ય અવારનવાર આવતા પૂર જવાબદાર હતા. આથી ઇ.સ. પૂર્વે 1700 સુધીમાં લોકોએ આ શહેરનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. જેથી એ લુપ્ત થવા માંડ્યું હતું.

દુરથી શાંત લાગતું આ નગર પોતાની ભીંતરે હજારો વર્ષ જુનો વૈભવ સાચવીને બેઠું છે. ચારે બાજુ દેખાતા પત્થરો પોતાની પાસે કોઈ મુસાફર આવીને કાન માંડે તો વર્ષો જુના વારસાની વાતો કહેવા મીટ માંડીને ઉભા હોય તેવી અનુભૂતિ કરાવે છે.

  • લોથલ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 160 km.) – Rs.2000 – 3500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2300
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 1800
  • કુલ – આશરે 6500 થી 11,000/—
  • અંતર (Distance)
  • સુરતથી – 280 km.
  • વડોદરાથી – 122 km.
  • અમદાવાદથી – 79 km.
  • રાજકોટથી – 172 km.
  • કચ્છ – 404 km.

Article Courtesy – કવન આચાર્ય

આલેખન – રાધિકા મહેતા

400 ચોરસ કિમી.માં પથરાયેલું ગુજરાતનું આ જંગલ અચૂક જોવા જેવુ

Posted By admin June 5, 2021
polo forest

આજકાલની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો માનસિક રીતે કંટાળી જતાં હોય છે. માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો એ આપણાં શરીર અને વર્તન પર પણ અસર કરે છે. એટલે જ આ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે મનને શાંતિ મળવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની માનસિક શાંતિ મેળવવા માટે પ્રકૃતિની ગોદમાં જવું સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે તમે પ્રકૃતિ સાથે સંપર્કમાં આવો છે અને પ્રકૃતિને માણો છો તો અંદરથી જ તમારું મન પ્રફુલ્લિત થવા લાગે છે. મન પ્રફુલ્લિત થતાં મનને પણ શાંતિ મળે છે અને એનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

પ્રકૃતિના ખોળે આનંદ માણવાનો અને પરિવાર સાથે વન-ડે પિકનિકનો પ્લાન કરી શકાય એવી ગુજરાતની આ લાજવાબ જગ્યાનું નામ છે પોળો ફોરેસ્ટ (Polo Forest)

Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફોરેસ્ટ એ આંખોને ઠંડક આપતું જંગલ વિસ્તાર છે. જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે 400 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે. અમદાવાદથી લગભગ 160 કિમીના અંતરે આવેલું પોળો ફોરેસ્ટ (Polo Forest) કુદરતની અદમ્ય રચના છે. આ પોળોના જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

 polo forest
Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફોરેસ્ટનો (Polo Forest) ઇતિહાસ

અહીં 10મી સદીમાં હર્ણાવ નદીના કિનારે ઇડરના પરિહાર રાજાઓએ એક નગર વસાવ્યું હતું. 15મી સદીમાં આ નગર ઉપર મારવાડના રાઠોડ વંશના રાજાઓએ વિજય મેળવ્યો અને તેને ઇડર સ્ટેટની અંદર સમાવી લીધું. આ નગર કલાલિયો અને મામરેચી નામના બે ઊંચા પર્વતોની વચ્ચે આવેલું છે. આ પર્વતોને કારણે આ નગરમાં દિવસે પણ સુર્યપ્રકાશ પહોંચી શકતો નહોતો આથી આ નગરમાંથી વસ્તી ખાલી થઈ ગઈ. પોળો નામ પોળ ઉપરથી પડયું છે. મારવાડી ભાષામાં પોળનો અર્થ દ્વાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. આ જંગલોમાં 15મી સદીના ખંડેર થઈ ગયેલા 15મી સદીના હિન્દુ અને જૈન મંદિર આવેલા છે. રાજ્યના પુરાતત્વ ખાતાએ આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

Courtesy – www.gujarattourism.com

અહીંયા તમને શું-શું જોવા મળશે?

  • 450થી વધુ પ્રકારના ઔષધી છોડ
  • 275 પ્રકારના પક્ષીઓ
  • 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ
  • 32 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ
  • આ સાથે રીંછ, દીપડા, ઝરખ, ઉડતી ખિસકોલી જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
Courtesy – www.gujarattourism.com

આજુ-બાજુમાં જોવાલાયક બીજા સ્થળો

અભાપુરનુ શક્તિમંદીર

  • અભાપુરનુ શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે.
  • મંદિરના દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરેલો છે, જેની ભાષા સ્પષ્ટ થતી નથી.
  • આ મંદિર સૂર્યમંદિર હોવાનું મનાય છે, જોકે બીજા સૂર્યમંદિરોથી અલગ આ મંદિર પશ્ચિમાભિમુખ છે.
  • મંદિરમાં સૂર્ય ભગવાન, સૂર્યાણી દેવી, ઇંદ્ર-ઇંદ્રાણી, શિવ-પાર્વતી, બ્રહ્મા-બ્રહ્માણીના શિલ્પો જોવા મળે છે.
  • મધ્યમાં દર્પણકન્યા અને અપ્સરાનાં શિલ્પો આકર્ષણરૂપ છે.
Courtesy – www.gujarattourism.com

કલાત્મક છત્રીઓ

  • આ કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે.
  • છત્રીનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે.
  • મોટાભાગની છત્રીઓ બેની જોડમાં (જોડી સ્વરૂપે) જોવા મળે છે.
  • આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીમાં થયું હોવાનુ મનાય છે.
Courtesy – www.gujarattourism.com

શરણેશ્વર મહાદેવ

  • આ મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જમીનમાં પથરાયેલું છે.
  • આ મંદિરના સ્થાપક વિષે કોઇ ચોક્કસ માહિતી નથી.
  • મંદિરના ચોક્માં નંદી ચોકી આવેલી છે.
  • મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મના શિલ્પો કંડારેલાં છે.
  • આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલાં છે.
  • મંદિર કુલ ત્રણ માળનું છે.
  • મંદિરનાં બહારના ભાગમાં વેદી પણ છે, જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે.
  • મંદિરના સ્તંભો ઉપરથી લઈને નીચે સુધી વૃત્તાકાર છે.
Courtesy – www.gujarattourism.com

રક્ત ચામુંડા

  • શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે.
  • મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે.
  • ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે, જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે.
Courtesy – www.gujarattourism.com

લાખેણાનાં દેરાં

  • દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે.
  • મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનુ શિલ્પ સોલંકી કાળનું છે.
  • મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે.
  • જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે.
  • મંદિરમાં 80 થી વધુ સ્તંભો ઊભા કરેલાં છે.
 polo forest
Courtesy – www.gujarattourism.com

સદેવંત સાવળિંગાના દેરાં

  • આ મંદિરની સાથે-સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે.
  • આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે.
  • નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.
  • કેટલીક જગ્યાએ નીચેથી ઊગી નીકળેલાં વૃક્ષોએ લગભગ મંદિર ઊંચકી લીધું હોય તેમ જણાય છે.
 polo forest
Courtesy – www.gujarattourism.com

પોળો શા માટે લોકપ્રિય બની રહ્યું છે?

અહીંની જગ્યા ટ્રેકિંગ કરવા યોગ્ય છે, જેથી ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. એટલે ટ્રેકિંગ લવરને આ જગ્યા આકર્ષે છે. અહીંયા એક નાનું ઝરણું પણ આવેલું છે જે ચોમાસામાં પોતાના ખરા અંદાજમાં જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35થી વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. જો સપ્ટેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે તમે અહીંયાની મુલાકાત લેશો તો અહીંની ગ્રીનરી તમારું મન મોહી લેશે. અને જો તમે વીકેન્ડ પ્લાન કરવા ઈચ્છો છો તો કુદરતના ખોળે રહેલું આ સ્થળ શ્રેષ્ઠ છે.

Courtesy – www.facebook.com/poloretreat

પોળો ફેસ્ટિવલ

દર વર્ષે, ગુજરાત સરકાર દ્વારા પોળો ફેસ્ટિવલ ઊજવવામાં આવે છે. જેમાં સાહસિક પ્રવૃત્તિઓ, સાઇકલિંગ, કેમ્પિંગ અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલો ફોરેસ્ટમાં પોળો કેંમ્પ સીટીનુ સુયોજન હોય છે જ્યાં તમે રોકાઈ શકો છો અને પોળો ઉત્સવનો આનંદ માણી શકો છો.

Courtesy – www.facebook.com/poloretreat

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

રહેવું ક્યાં?

પોળોમાં રોકવા માટે ઈચ્છતા લોકો માટે પોળો કેમ્પ સાઇટ એક સારો વિકલ્પ છે. જે ગુજરાત રાજ્યના જંગલ ખાતા દ્વારા સંચાલિત છે. પોળો કેમ્પ સાઇટમાં રહેવા માટે તમારે હિમતનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા કેમ્પને અગાઉથી બુક કરવો પડશે.

  • પોળો ફોરેસ્ટ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 320 kms) – Rs.3000 – 6000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2000 – 4000
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 3200
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500-2000
  • કુલ – 8000 થી 14000/—

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળશે દુર્લભ દરિયાઈ જીવો

Posted By admin May 31, 2021
narara tapu jamnagar

પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે, જ્યારે આ પૃથ્વીના તમામ પાણીનો લગભગ 96.5% ભાગ સમુદ્રોમાં છે. આપણે જે પૃથ્વી પર વસીએ છે, એ પૃથ્વી પર તમને અસંખ્ય પ્રકારના વૃક્ષો, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓની સાથે બીજું ઘણું બધુ જોવા મળશે.

જેમ જમીન પર એક આખી દુનિયા છે. એ જ રીતે સમુદ્રની અંદર પણ એક આખી દુનિયા વસે છે. આ દરિયાઈ જીવસુષ્ટિ કે જેને જાણવું અને માણવું એ એક રોમાંચક લ્હાવો છે. આવી દુર્લભ જૈવિક સમૃદ્ધિ જોવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારવી પડે અને પાણીમાં ઉતર્યા વિના આ જીવોને હાથમાં લઈને જોવા હોય તો, જામનગરના નરારા ટાપુની મુલાકાત લેવી જોઈએ. જે લોકોને દરિયાઈ જીવોને જાણવાનો અને જોવાનો શોખ ધરાવે છે એના માટે આ એક ખૂબ જ સારી જગ્યા છે. દરિયાઈ જોવાને જાણવાનો શોખ ધરાવતા લોકોએ તો અચૂક નરારા ટાપુની (Narara Tapu Jamnagar) મુલાકાત લેવી જ જોઈએ.

narara tapu jamnagar
Courtesy – fb/nararajamnagar

કચ્છના અખાતમાં આવેલા છે કુલ 42 ટાપુ (Narara Tapu Jamnagar)

કચ્છના અખાતમાં રહેલી અફાટ જીવસુષ્ટિને ધ્યાનમાં લઈને નવલખી બંદરથી લઈ ઓખા સુધીના દરિયાને 1982માં કેન્દ્ર સરકાર દ્વારા મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે. કચ્છના આ અખાતમાં કુલ 42 ટાપુઓ આવેલા છે. એમાંથી એક નરારા ટાપુ (Narara Tapu Jamnagar) છે. જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલું આ નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવ સૃષ્ટિને આપણે ચાલીને જોવાનો લ્હાવો મળે છે. દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખૂલજા સિમસિમ કહેતા હોય એ રીતે દરિયાઈ જીવસુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે.

narara tapu jamnagar
Courtesy – fb/nararajamnagar

મરીન નેશનલ પાર્કના 160 કિમી લાંબા વિસ્તારમાં નરારા ટાપુ(Narara Tapu Jamnagar), પીરોટન ટાપુ પર દરિયાઈ જીવોનો જોવાનો અવસર મળે છે, જ્યારે વિદેશમાં આવો નજારો જોવા માટે પાણીની અંદર ઉતરવું પડે છે અથવા કાચના બોટમવાળી ખાસ પ્રકારની બોટમાં જવું પડે છે, જ્યારે ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલા નરારા ટાપુ પર ખુદ કૂદરત જ કુરબાન હોય એ રીતે અહી નરી આંખે અને પાણીમાં ડૂબકી લગાવ્યા વગર તમને આ દરિયાઈ જીવો જોવા મળશે. બસ આ જ કારણોસર આ ટાપુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જ્યારે દરિયામાં ઓટ આવે એ સમયે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે. ત્યારે અહીના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જોવા મળે છે.

narara tapu jamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar

કઈ-કઈ જાતના દરિયાઈ જીવો તમને અહી જોવા મળશે?

  • અહિયાં સ્ટાર ફીશ, પફર ફીશ, ગ્રીન ક્રેબ સાથે બીજા 30 વધુ જાતના અન્ય કરચલાં,આઠ પગધારી ઓક્ટોપસની સાથે,
  • 200 જાતની માછલી
  • 03 જાતના કાચબા
  • 27 થી વધુ જાતના જીંગા
  • 56 જાતના સખત અને મૃદુ પરવાળા (કોરલ)
  • 108 જાતની લીલ (અલ્ગી)
  • 70 જાતની વાદળી (સ્પંજ)
  • 400 થી વધુ પ્રકારના શંખ
  • 03 પ્રકારના કાચબા
  • 94 જાતના દરિયાઈ પક્ષીઓ
  • 78 જાતના વિવિધ પક્ષીઓ, 03 જાતના દરિયાઈ સર્પની સાથે સમુદ્રી ફૂલો અને અનેકો વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે.
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar

ખાસ નોંધ : આ દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા માટે તમારે ફોરેસ્ટના મરિન ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે અને દરિયામાં આવતા ભરતી અને ઓટના સમયને અનુસરવું પડશે.

Courtesy – fb/nararajamnagar
Courtesy – fb/nararajamnagar

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

  • નરારા ટાપુ (જામનગર)(Narara Tapu Jamnagar) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) – Rs.7000 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2500 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.2000 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500-2000
  • કુલ – 13000 થી 18000/—
Courtesy – fb/nararajamnagar

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક -જામનગર બસ સ્ટોપ, વાડીનાર બસ સ્ટોપ, જામનગર રેલવે સ્ટેશન, જામનગર એરપોર્ટ

ખાવાની વિશેષતા – જામનગરની જૈન-વિજયની ડ્રાય કચોરી, ઘૂઘરા

આ છે કચ્છની એકમાત્ર એવી જગ્યા કે જ્યાંથી જોવા મળે છે કચ્છના રણનો પેનોરેમિક વ્યુ

Posted By admin May 29, 2021
Kalo Dungar

જ્યારે પણ ફરવાની વાત કરવામાં આવે ત્યારે કચ્છને તો ભૂલી જ ન શકાય. કચ્છમાં ફરવા લાયક એટલી બધી જગ્યા આવેલી છે કે કદાચ લિસ્ટ બનાવીને ફરવા નિકળીએ તો 3-4 દિવસ પણ ઓછા પડે ત્યારે traveltoculture.com દ્વારા તમને કચ્છ સહિત સમગ્ર ગુજરાતની ફરવા લાયક જગ્યાની સાથે બીજી ઘણી બધી બાબતોથી માહિતગાર કરવામાં આવશે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta

અત્યારે જે જગ્યાની વાત કરવામાં આવે છે એ કદાચ કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ (360 અંશનો દેખાવ) જોવા મળે છે. જેનું નામ છે કાળો ડુંગર (kalo dungar)…આ કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર માનવામાં આવે છે અર્થાત છે. 458 મીટરની ઉંચાઈ ધરાવતો કાળો ડુંગર ભુજથી 97 કિમી અને કચ્છથી 40 કિમી દૂર આવેલો છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Kalo Dungar
Courtesy : www.gujarattourism.com

કાળો ડુંગર (kalo dungar) સાથે જોડાયેલી દંતકથા

આ કાળો ડુંગર (kalo dungar) 400 વર્ષ જૂનાં દત્તાત્રેય ભગવાનના મંદિર માટે જાણીતો છે. પ્રાચીન સમયમાં આવા ડુંગરો યોગીઓ, તપસ્વીઓ ને તપ કરવા માટે આકર્ષતા હતા.

Kalo Dungar
Courtesy : www.facebook.com/KaloDungar

આ મંદિર સાથે દંતકથા પણ જોડાયેલી છે. આ દંતકથા મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે ભ્રમણ કરતાં-કરતાં આ ડુંગર પર આવ્યા અને અહીં તપ કરતા હતા ત્યારે એક ભૂખ્યું શિયાળ તેમને મરેલા સમજીને તેમના શરીરને ખાવા માટે તેમની પાસે આવ્યું, પરંતુ તેમની પાસે આવતાં જ તેની મતિ ફરી ગઈ, તે પાછું ફર્યું. એ જ સમયે ગુરુ દત્તાત્રેયે આંખો ખોલી, એમણે જોયું કે ખ્યાલ ભૂખ્યું શિયાળ પાછું જઈ રહ્યું છે. એ જોઈને તેમણે ખૂબ જ દુ:ખ થયું પરંતુ ગુરુ દત્તાત્રેય પાસે એ શિયાળને ખવડાવવા માટે કશું જ હતું નહીં. જેથી તેમણે પોતાના શરીરનાં અંગોના ટુકડા કરીને ‘લે અંગ’, ‘લે અંગ’ કહીને શિયાળને બોલાવીને ખવડાવ્યું . આવું કરતાં ચમત્કારિક રીતે ગુરુ દત્તાત્રેયના અંગો પાછાં હતાં તેવા જ થઈ ગયાં, તેવી દંતકથા છે.

અહીં આવેલું દત્તાત્રેયનું મંદિર 400 વર્ષ જૂનું છે. એવું કહેવામાં આવે છે કે પહેલાં કાળા ડુંગર (kalo dungar) પર નાનકડી ડેરી હતી. ભૂકંપમાં તે નષ્ટ થઈ જતાં ત્યાં નવું વિશાળ મંદિર, અન્નક્ષેત્ર, સમાધિસ્થળ ઊભાં કરવામાં આવ્યા છે. છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરના પૂજારી દ્વારા રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને એક ઓટલા પર ધરાવવામાં આવે છે. જે ખાઈને શિયાળો ફરી કુદરતના ખોળામાં ખોવાઈ જાય છે.

શા માટે શિયાળને રાંધેલા ભાતનો પ્રસાદ ધરાવતી વખતે ‘લોંગ’, ‘લોંગ’ એવું બોલવામાં આવે છે?

જે ઓટલા પર શિયાળોને પ્રસાદ ધરાવવામાં આવે છે એ ઓટલાને લોંગ પ્રસાદ ઓટલો નામ આપવામાં આવ્યું છે. આ લોંગ શબ્દ ભગવાન દત્તાત્રેયએ પોતાના શરીરના અંગ શિયાળને ખાવા માટે આપ્યા હતા ત્યારે એમના દ્વારા બોલવામાં આવેલા ‘લે અંગ’ શબ્દ છે જે સદીઓ પછી અપભ્રંશ થઈને ‘લોંગ’ બની ગયો.

અત્યારે જોકે પૂજારીઓ, આવા શબ્દોથી શિયાળોને બોલાવતા નથી, પરંતુ ઘંટનો અવાજ કરીને શિયાળને આમંત્રણ આપે છે,આજે પણ રોજ શિયાળ પ્રસાદ ખાવા આવે છે.

અહીંયા પ્રવાસી માટે ઉપર અન્નક્ષેત્રની પણ સગવડતા છે. અહિયાં કાળા ડુંગર પર 400 વર્ષ જુના દત્તાત્રેય મંદિરની સાથે કુદરતી સૌંદર્યનો સાગર જોવા મળશે. ચોમાસા બાદ આ જગ્યાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ઉપરાંત માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવે છે.

Courtesy : www.gujarattourism.com

કાળા ડુંગર વિષે જાણવા જેવી અન્ય બાબત

ત્રણેય દિશામાં વિસ્તરેલું મોટું રણ અહીથી જોઈ શકશો. ત્યાં સુરખાબ (ફ્લેમિંગો)પક્ષીઓ હજારોની સંખ્યામાં બચ્ચા ઉછેરે છે. એવું કહેવામાં આવે છે કે કચ્છની જમીન કરોડો વર્ષ પહેલા સમુદ્રના તળીએ હતી. અહીંના ખડકો પર શોધશો તો છીપલાના અશ્મી અવશેષો મળશે.

Courtesy : www.facebook.com/KaloDungar

આ ડુંગરને કાળો ડુંગર શા માટે કહેવામાં આવે છે?

આ ડુંગરમાં જે ચૂનાના પથ્થરો છે તે સંપૂર્ણ કાળા રંગના છે. તેમ જ અહીં મોટા પ્રમાણમાં કાળા રંગના મેગ્માજન્ય ખડકો પણ મળી આવે છે. કુરન ગામથી નીર વાંઢ નામના નાના ગામ સુધી આવા ખડકો પથરાયેલા છે. આ કાળા પથ્થરો ગેબ્રો, લેમ્બોફાયર, બેસોલ્ટ તથા ડાયોરાઇટના નામે ઓળખાય છે. આ કાળા રંગના ખડકોના કારણે આ ડુંગરને કાળા ડુંગરના (kalo dungar) નામે ઓળખવામાં આવે છે.

કાળા ડુંગર જતાં ધ્યાનમાં રાખવા જેવી બાબત

કાળા ડુંગરની ટોચ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પહોંચવું અઘરું છે. આ માટે એકમાત્ર બસ વિકેન્ડમાં ખાવડા સુધી આવે છે. આ બસ સાંજે ખાવડા પહોંચાડે છે અને વહેલી સવારે ખાવડાથી પાછી ફરે છે. તમે ખાવડાથી જીપ ભાડે લઈ શકો છો. અહીં વહેલી સવારે કે મોડી સાંજે મુલાકાત લેવી સલાહભરી છે. જો તમે અહી રાતવાસો કરવા માંગતા હોવ તો કાળા ડુંગર મંદિરની બાજુમાં એક ધર્મશાળા છે ત્યાં તમે રોકાઈ શકો છો.

  • કાળા ડુંગર (kalo dungar) પર એક ગજબ ઘટના અનુભવાય છે.જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
  • આવું થવાનું કારણ મેગ્નેટિક ફિલ્ડને માનવામાં આવે છે.
  • નેચર લવર માટે આ એક ખુબ જ અદભુત જગ્યા છે આ ઊંચાઈ પર પહોંચીને મનને જે શાંતિ અને આંખોને જે ઠંડક મળશે એ જરૂર અનુભવવા જેવી છે.
  • અહીનું સનસેટ વ્યૂ, પ્રકૃતિ અને વાતાવરણ તમારી મુલાકાતને એક યાદગાર પળ બનાવશે.
  • કાળા ડુંગર પર ગયા જ હોય તો પછી વિશ્વના સૌથી મોટા સફેદ રણ પર જવાનું કેમ ભૂલી શકાય ત્યાં જઈને જાણે ચન્દ્ર પર પહોંચી ગયા હોય એવું લાગશે.
Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Courtesy : www.gujarattourism.com

Read This Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

  • કાળો ડુંગર (કચ્છ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) – Rs.9000 – 13,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2200 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 2000-2500
  • કુલ – આશરે 14000 થી 20000/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 678 km.
  • વડોદરાથી – 526 km.
  • અમદાવાદથી – 417 km.
  • રાજકોટથી – 317 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – ખાવડા બસ સ્ટોપ

ખાવાની વિશેષતા – કચ્છની ડબર રોટી એટલે કે દાબેલી, કચ્છી કડક, થાબડી , થાબડી પેંડા, ખાવડાની મીઠાઈઓ

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

Dolls Museum Rajkot

એ નિખાલસ હાસ્ય, નાની-નાની વસ્તુઓ માટેની જીદ, જીદ પૂરી થવાની ખુશી, નિર્દોષ આંખોમાં કુતૂહલ, સરસ મજાનાં રમકડાં અને ઢીંગલા-ઢીંગલીના ખેલ… હવે આ બાળપણના દિવસો પાછા તો ન આવે પણ સૌરાષ્ટ્રનું હ્રદય કહેવાતા રંગીલા રાજકોટનું ડોલ્સ મ્યુઝિયમ તમને બાળપણનું સંભારણું જરૂર કરાવી શકે છે. બાળકોથી લઈને મોટા સુધી બધાને પસંદ પડે એવું આ ડોલ્સ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ છે.

મ્યુઝિયમની સ્થાપના અને ઇતિહાસ (Dolls Museum Rajkot)

મ્યુઝિયમની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમની સ્થાપના સાથે પાછળની વાત ખૂબ જ રસપ્રદ છે.

2001માં રોટરીયન શ્રી દિપકભાઈ અગ્રવાલ તેમના પરિવાર સાથે ચારધામ યાત્રા પર ગયા હતા. ત્યાં તેમણે પોતાની 4 વર્ષની દીકરીને પગપાળા ચારધામ યાત્રા પૂરી કરવા પર દિલ્હીના ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત કરાવવાનું વચન આપ્યું. ઢીંગલીઓ જોવાના કુતૂહલ વશ થઈને દીકરીએ યાત્રા પૂરી પણ કરી લીધી. પરંતુ દિલ્હી પાછા ફરતા સોમવાર હોવાથી નિયમાનુસાર મ્યુઝિયમ બંધ હતું. જેથી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત ન કરી શક્યા અને દીકરી નારાજ થઈ ગઈ. આથી દીકરીનું દિલ રાખવા દિપકભાઈએ દીકરીને કહ્યું કે, પપ્પા તારા માટે રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ બનાવશે આમ આ વાત ને 6 મહિના જતાં રહ્યા ત્યારબાદ અચાનક દીકરીને પપ્પાની કહેલી એ વાત યાદ આવી અને તેને દીપકભાઈને કહ્યું કે પપ્પા તમે મારા માટે જે ડોલ્સ મ્યુઝિયમ બનાવાના હતા એ કયા છે? દીકરીના આ પ્રશ્ન પૂછતાં જ દિપકભાઈએ રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ (Dolls Museum Rajkot) બનાવાનો નિર્ણય લીધો.

આ માટે દિપકભાઈએ લગભગ 108 દેશના રોટરી ક્લબમાં 75,000 જેટલા ઇ-મેઇલ કર્યા અને તેમને ડોલ્સ મ્યુઝિયમની વાત કરી જેને ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો અને દેશ-વિદેશના આ તમામ રોટરી ક્લબ દ્વારા દિપકભાઈને ડોલ્સ મ્યુઝિયમ માટે ડોલ્સ ગિફ્ટ કરવામાં આવી.

કલ્પકભાઈ મણિયારને ડોલ્સ મ્યુઝિયમનો (Dolls Museum Rajkot) વિચાર ખૂબ પસંદ આવ્યો હતો. તેઓ તે સમયે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન હતા અને અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા હતા. 2004માં રાજકોટ રોટરી મિડટાઉન ક્લબના 10 વર્ષ અને રોટરી ઇન્ટરનેશનલ ક્લબના 100 વર્ષ તેમજ રાજકોટ નાગરિક સહકારી બેંકના 50 વર્ષ પૂર્ણ થતાં હતા. આથી નાગરિક સહકારી બેંકએ યાજ્ઞિક રોડ પર મ્યુઝિયમ બનાવવા માટે જગ્યાના ભાગરૂપે આ નજરાણું આપ્યું હતું. બસ આ રીતે દીકરીનું દિલ રાખવા કહેવામાં આવેલી એક વાત પરથી રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમની શરૂઆત થઈ ગઈ.

ઉદ્ઘાટન સમારોહ

આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન (1998 થી 2004) લાલ કૃષ્ણ અડવાણી દ્રારા 24 જુલાઈ, 2004ના રોજ કરવામાં આવ્યું હતું. લગભગ 10,000 બાળકો દ્વારા જાતે જ 6 ખંડોના ફ્લોટ્સ તૈયાર કરી શહેરમાં કાર્નિવલની રચના કરી હતી. માર્ગની બંને બાજુ 91 દેશોના મોટા ધ્વજ લગાવાયા હતા. શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં રોટરી મિડટાઉન ડોલ્સ મ્યુઝિયમના લગભગ 1000 બેનરો લગાવવામાં આવ્યા હતા.

 Dolls Museum Rajkot

ડોલ્સ મ્યુઝિયમની ખાસિયત

  • આશરે 108 દેશની 1600 થી વધુ વિવિધ પ્રકારની ઢીંગલીઓ તમને અહી જોવા મળશે.
  • દરેક ઢીંગલી દેશ-વિદેશના રોટરી ક્લબ દ્વારા ભેટ સ્વરૂપે મળેલી છે.એકપણ ઢીંગલી ખરીદેલી નથી.
  • ​દરેક દેશ અને તેના ખંડને દર્શાવતી કલાત્મક વિન્ડો ડ્રેસિંગ દ્વારા દરેક દેશની સંસ્કૃતિ, પર્યાવરણ, ભાતીગળ પહેરવેશ અને વિશ્વના વિવિધ ભાગોની જીવનશૈલીની લગભગ નજીકની પ્રતિકૃતિ દર્શાવીને મ્યુઝિયમની ટેગલાઈન “ડિસ્કવર દુનિયા” ની સાબિતી આપે છે.
  • ​આ મ્યુઝિયમ કોઈ રાજા, નિઝામ કે સરકાર દ્વારા નહિ પરંતુ લોકશક્તિથી બનાવવામાં આવેલું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ છે.
  • આથી જ આ મ્યુઝિયમને “લિમ્કા બુક ઓફ રેકોર્ડ” માં સ્થાન મળ્યું છે.
  • ​શોકેસમાં આ ઢીંગલીઓની પાછળની બાજુએ અરીસો રાખવામાં આવ્યો છે. જેથી ઢીંગલીઓનો પહેરવેશ સારી રીતે દેખાય અને એક 3D ઇફેક્ટ જોઈ શકાય છે. તેમજ બાળકોને પણ અરીસામાં ઢીંગલી સાથે પોતાનો ચેહરો જોવાનો આનંદ આવે છે.
  • મ્યુઝિયમનું આર્કિટેક્ચર, ભારતીય આર્કિટેક્ચરલ એસોસિએશન દ્વારા “સર્વશ્રેષ્ઠ ડિઝાઇન”નો એવોર્ડ જીતનાર આર્કિટેક્ટ નિમિત કામદાર અને કુ.શૈલી ત્રિવેદી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
  • નુપુર અગ્રવાલ – એક યુવાન વિદ્યાર્થીનીએ આ સંગ્રહાલયની વિન્ડો ડ્રેસિંગ માટે પોતાનો સમય અને કુશળતા દાન કરી છે.
  • ​દરેક શોકેસની બાજુમાં દાતાઓએ ઢીંગલી સાથે મોકલેલી અનન્ય સાંસ્કૃતિક અથવા પરંપરાગત માહિતી પરના ચિત્રો સાથે લેખન સ્ટેન્ડ છે.
  • દરેક ઢીંગલીને તેના રાષ્ટ્રઘ્વજ સાથે અને તે દેશના રોટરી ક્લબના ટેગ સાથે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે.
  • ​વ્યવસાયિક અને સામુદાયિક સેવાઓના ભાગરૂપે ઓક્ટોબર 2004થી મ્યુઝિયમ ખાતે ફોરેન લેંગ્વેજ લર્નિંગ સેન્ટર શરૂ કર્યું છે.
  • મ્યુઝિયમની લેન્ગવેજ લાયબ્રેરીમાં 40 થી વધુ વિદેશી અને 10 થી વધુ ભારતીય ભાષા વિદ્યાર્થીઓ દ્વારા શીખી શકાય છે. આ એક સ્વચાલિત કમ્પ્યુટર આધારિત ભાષા કેન્દ્ર છે.
  • આ મ્યુઝિયમ વિદેશમાં વ્યવસાયિક સંભાવનાઓ વિશેની માહિતી આપીને પુખ્ત વયના લોકોને પણ મદદ કરે છે.
 Dolls Museum Rajkot

આ મ્યુઝિયમને અનન્ય અને વિશિષ્ટ બનાવતી બાબતો

  • ​રોકિંગ ઝીબ્રા
  • ઇંગ્લેન્ડના સમરસેટ ડિસ્ટ્રિક્ટના રોટરી ક્લબ દ્વારા આ ઝીબ્રા બાળકોના સહયોગથી દાનમાં આપવામાં આવ્યું હોવાથી આ રોટરી ડોલ્સ મ્યુઝિયમનું ગૌરવ માનવામાં આવે છે. જેને “રાજ” નામ આપ્યું છે.
  • જે સ્ટીલ અને લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. તે 109 કિલો સુધીનો વજન ઊંચકી શકે છે.
  • ઇંગ્લેન્ડની શાળામાં ગણવેશ ન પહેરવા પર દંડિત કરવામાં આવે છે.
  • શાળાના બાળકોએ આ નિયમનો ભંગ કરીને ભંડોળ એકત્ર કરીને રોકિંગ ઝીબ્રા ખરીદ્યું છે.
  • રાજકોટ શિપમેન્ટ માટે સામાન પેક કરતી વખતે, બબલ બેગ અથવા અન્ય પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવાને બદલે, સમરસેટના બાળકોએ પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી પેકીંગ કરવાનું વિચારીને બાળકોએ તેમના લગભગ 1200 જેટલા નવા સોફ્ટ ટોયનું દાન આપ્યું છે.
  • આ સોફ્ટ ટોયનો ઉપયોગ રાજકોટની મુસાફરી દરમિયાન રોકીંગ ઝીબ્રાને વધુ રક્ષણ આપવા કરવામાં આવ્યો હતો.

  • સિનેમાથેક
  • મનોરંજન માટે જ્યારે તમે ઢીંગલીઓની દુનિયામાં છો, ત્યારે બાળકોને તેમના મનપસંદ કથાઓ, લોક વાર્તાઓ, કાર્ટૂન ફિલ્મો અને પરીકથાઓ જોવાની તક પણ તમને અહી મળશે.
  • જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર, વિશ્વની અજાયબીઓ, વિવિધ દેશો અને તેની સંસ્કૃતિઓ, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ જેવા વિષયો પર સામાન્ય જ્ઞાન આપતી બ્રિટાનિકા, ડિસ્કવરી ચેનલ, રાષ્ટ્રીય ભૂગોળ અને અન્ય મલ્ટિમીડિયા શૈક્ષણિક સીડીઓનો પણ મ્યુઝિયમ પાસે સંગ્રહ છે.જેનો ઉપયોગ સ્પેશિયલ સેશનમાં કરવામાં આવે છે.
  • માહિતી કિઓસ્ક
  • માહિતી કિઓસ્ક એ ટચ સ્ક્રીન કમ્પ્યુટર છે. જેમાં દેશ-વિદેશની માહિતી, વિદેશમાં વ્યવસાયિક તક, વિવિધ દેશના રાષ્ટ્રગીત તેમજ રાષ્ટ્રધ્વજની માહિતી, ઢીંગલીઓ વિશેની માહિતી વગેરે બાબતો જાણવા મળે છે.
  • સોવેનીર શોપ
  • મ્યુઝિયમમાં સંભારણાંના ભાગરૂપે ખરીદી કરવા માટે સોવેનીર શોપ છે.
  • જેમાં ડોલ્સના સ્ટીકર, ટીશર્ટ, કીચૈન, પોસ્ટકાર્ડ, વિવિધ નકશા, કૉફી મગ, ઝંડા વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
  • રાનીજી કી ગુડિયા
  • રાજકોટના મહારાણી કાદંબરિદેવીને આ ઢીંગલી 11 વર્ષની ઉંમરમાં માતા પાસેથી ભેટમાં મળી હતી.
  • 37 વર્ષથી મહારાણી સાથે રહેલી આ ઢીંગલી મહારાણીના વિવાહ પછી તેમની સાથે જ સાસરે આવી હતી અને તેમની પુત્રી પણ આ ઢીંગલીથી રમી છે.
  • દુનિયાભરના લોકો આ ઢીંગલીને જુએ અને એની યોગ્ય જાળવણીના હેતુથી મહારાણીએ એમની ઢીંગલી મ્યુઝિયમને 16 જૂન, 2017માં દાન કરી હતી.
  • જેમાં રાજવી પરિવાર દ્વારા 8 કીમી લાંબુ સરઘસ કાઢવામાં આવ્યું હતું.
  • ઢીંગલીની શાહી સવારીમાં અનેક શાળાના વિદ્યાર્થીઓને જોડાયા હતા.
  • એક જીવતીજાગતી વ્યક્તિની જેમ ઢીંગલીને વિદાય આપવામાં આવી હતી.

Read This Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થા

મ્યુઝિયમનો સમય
સવારે 9:30 થી બપોરે 1:00 સુધી
બપોરે 3:30 થી સાંજે 8:00 કલાક સુધી


ખાસ નોંધ : મ્યુઝિયમ દર સોમવારે બંધ રહેશે.

ટિકિટનો દર
પુખ્ત લોકો માટે – Rs. 30
બાળકો – Rs. 30 (5 વર્ષથી વધુ વયના)
મોબાઈલ ફોટોગ્રાફી – Rs.30
પ્રોફેશનલ ફોટોગ્રાફી – Rs.100
NRI માટે – Rs.100
20થી વધુ વ્યક્તિના ગ્રુપ માટે – Rs.20

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા

આલેખન – રાધિકા મહેતા

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

sudamapuri porbandar
sudamapuri porbandar

સુદામા મંદિર અને પોરબંદર (sudamapuri porbandar)

સૌરાષ્ટ્રના પશ્ચિમમાં દરિયા કિનારે આવેલું શહેર પોરબંદર એટલે મહાત્મા ગાંધી અને સુદામાની નગરી (sudamapuri porbandar). પોરબંદરની ત્રણ જગ્યા પ્રખ્યાત છે. કીર્તિમંદિર, સુદામા મંદિર અને ચોપાટી. સત્ય, અહિંસા અને પ્રેમને અનુસરતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને શ્રીકૃષ્ણના ભાગના શ્રાપિત ચણા ખાઈને દરિદ્ર બ્રાહ્મણીનો શ્રાપ સ્વયં ગ્રહણ કરી સાચી મિત્રતા નિભાવતા સુદામાની જન્મ અને કર્મભૂમિ છે. આથી જ પોરબંદરને “સુદામાપુરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કંદ- પુરાણમાં પણ સુદામાપુરીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

sudamapuri porbandar

સુદામાનો જન્મ અને મંદિરનું નિર્માણ

પોષ સુદ આઠમના દિવસે પોરબંદરની અસ્માવતી નદી પાસે સોમશર્મા નામના ભૃગુવંશી બ્રાહ્મણને ત્યાં સુદામાનો જન્મ થયેલો. નાનપણથી જ સુદામાને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યા ત્યાં શ્રીકૃષ્ણ તેમના પરમમિત્ર બન્યા.

sudamapuri porbandar

પોરબંદરના સુદામા ચોકમાં વિશ્વનું એકમાત્ર સુદામાનુ મંદીર આવેલું છે. વર્તમાન સમયમાં પણ નિઃસ્વાર્થ મિત્રતાના પ્રતિક સમાન આ મંદિર આશરે ૧૩મી સદીથી અસ્તિત્વ ધરાવે છે. ૧૯મી સદીમાં પોરબંદરના રાજા ભાવસિંહજીએ આ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રની નાટક મંડળીએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. નીજ મંદિરમાં સુદામા તેમના ધર્મપત્ની સુશીલાજી અને રાધા કૃષ્ણ સાથે બિરાજમાન છે. દેશના વિવિધ સ્થાનેથી ભાવિકો આ મંદિરની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે.

સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌર્યાસીની પરિક્રમા અને તેની સાથે જોડાયેલી વાત

આ લોકનું સુખ, બ્રહ્માંડનો વૈભવ તેમજ પરલોકના સુખ સમાન મોક્ષ, માત્ર મનુષ્ય અવતાર ધારણ કરીને જ મેળવી શકાય છે. સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌરાસીના ફેરાની પરિક્રમા કરીને ચૌરાસી લાખ યોનિના ફેરામાંથી મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થવાની માન્યતા પણ છે. રાજસ્થાની લોકોમાં લગ્નપૂર્વે વરકન્યાને સુદામાના દર્શને લઈ આવવાનો રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત એક લોકવાયકા પ્રમાણે ચારધામની યાત્રા કરીને સુદામાના દર્શન કરવા જ જોઈએ તો જ યાત્રા પૂરી થઈ હોવાનું માનવામાં આવે છે.

sudamapuri porbandar

સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને કૃષ્ણ પાસે દ્વારકા સહાય મેળવવા મોકલ્યા

પૌરાણિક કથા અનુસાર સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને સોનેરી દ્વારકાનગરીના રાજા અને તેમના મિત્ર કૃષ્ણ પાસે સહાય મેળવવા મોકલ્યા હતા. સાથે ભેટ સ્વરૂપે તાંદુલ( સાળ કે ડાંગર કમોદના ફોલેલા ચોખા) આપ્યા હતા. સુદામા જ્યારે તેમના મિત્રને મળવા દ્વારકા પહોંચ્યા ત્યારબાદ જે ઘટના બની એનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભેટમાં મળેલા તાંદુલ ભગવાન શ્રીકૃષ્ણએ પહેલી મુઠ્ઠી ખાતા સુદામાની દરિદ્રતા દૂર કરી, બીજી મુઠ્ઠી ખાઈને સમૃદ્ધિ આપી અને ત્રીજી મુઠ્ઠી ખાતા રૂકમનીજીએ ભગવાનને અટકાવ્યા. સુદામાના ભંડાર ભગવાને ભર્યા એ જ રીતે ભગવાન ભક્તોના ભંડાર ભરે તેવા ભાવથી વર્તમાન સમયમાં પણ ચોખામાંથી બનેલા પોહાનો પ્રસાદ મંદિર પરિસર દ્વારા આપવામાં આવે છે.

સુદામા મંદિરનું બાંધકામ સફેદ આરસપહાણથી કરવામાં આવ્યું છે

સફેદ આરસપહાણના પથ્થરોની સુશોભિત આ મંદિરમાં ઘણા બધા કોતરણી કરેલા સ્તંભો છે. આ સ્તંભ મંદિરની ચારે દિશામાં ગોઠવાયેલા છે. આ મંદિરની ટોચને અદ્ભુત સ્થાપત્યકળાથી શણગારવામાં આવ્યું છે. મંદિરની ટોચ અને જમીનને આ કોતરણી કરેલા સ્થંભો જોડે છે. સરળ પ્રકારનું બાંધકામ અને સુંદર આર્કીટેક્ચર ધરાવતું આ મંદિર શ્રીકૃષ્ણના મિત્ર સુદામાને સમર્પિત છે. મંદિર પરિસરમાં સુંદર બગીચો, સુદામા કુંડ અને લખચૌરાસીના ફેરા પણ આવેલા છે.

sudamapuri porbandar

આજના સમયમાં મિત્રતામાં પણ ક્યાંકને ક્યાંક સ્વાર્થ સાધવામાં આવતો હોય છે ત્યારે કોઈપણ પ્રકારના ભેદભાવ વગરની નિઃસ્વાર્થ મિત્રતાના ઉમદા ઉદાહરણ સમાન આ મંદિરની મુલાકાત એકવાર તો અવશ્ય લેવી જ જોઈએ.

આ પણ વાંચો બાળ શનિદેવનું એક માત્ર મંદિર : ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ શનિદેવની પૂજા કરી શકે છે

  • સુદામા મંદિર (પોરબંદર) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 424 km.) – Rs.8000 – 10,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 12,500 થી 18,500/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 631 km.
  • વડોદરાથી – 471 km.
  • અમદાવાદથી – 397 km.
  • રાજકોટથી – 183 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – પોરબંદર બસ સ્ટોપ, પોરબંદર રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ

વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી

જાણીતી હોટલો

આલેખન – રાધિકા મહેતા