Category Archives: ધાર્મિક પ્લેસ

આ મંદિરના શિવલિંગનો ખુદ સમુદ્ર કરે છે દિવસમાં બે વાર જળાભિષેક, અહીંનો ઈતિહાસ છે રસપ્રદ

Posted By admin August 12, 2021
Stambheshwar Mahadev Temple

ભારત અને ગુજરાતના ઘણાં મંદિરો તેની પૌરાણિક કથા અને તેની માન્યતાના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ ભરુચનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર (Stambheshwar Mahadev Temple) અચાનક ગાયબ થઇ જવાના કારણે સમગ્ર ભારતમાં જાણીતું છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવનું એક એવું મંદિર છે કે જેનો જળાભિષેક સમુદ્ર પોતે દિવસમાં 2 વાર કરે છે. આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવેલો છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

કાવી-કંબોઈ ગામમાં આવેલું છે આ પૌરાણિક સ્તંભેશ્વર મહાદેવનું મંદિર (Stambheshwar Mahadev Temple)

સ્તંભેશ્વર મહાદેવનું (Stambheshwar Mahadev Temple) આ ઐતિહાસિક શિવ મંદિર ગુજરાતના વડોદરાથી 75 કિમી. દૂર ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં અરબ સાગરના કિનારે આવેલું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ભગવાન શિવપુત્ર કાર્તિકેયના પ્રાયશ્ચિતના પરિણામરુપે નિર્માણ કરવામાં આવેલું છે. અરબ સમુદ્ર અને ખંભાતના અખાતની વચ્ચે સ્થિત આ મંદિર દરિયામાં ભરતી દરમ્યાન પાણીમાં સમાઈ જાય છે અને પાણી ઓસર્યા બાદ ફરી ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાય છે. જયારે મંદિર ભરતીના સમયે સમુદ્રમાં સમાઈ જાય ત્યારે એવું લાગે કે જાણે અહીંયા કોઈ મંદિર જ નથી. આ ચમત્કારના કારણે મહાદેવજીના ભક્તોમાં આ મંદિર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. કુદરતનો આ અદ્ભુત નજારો જોવા માટે દુર-દુરથી ભક્તોની ભીડ અહીં ઉમટી પડે છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

સ્તંભેશ્વર મહાદેવના મંદિરની (Stambheshwar Mahadev Temple) સ્થાપના અને ઈતિહાસ

સ્તંભેશ્વર મહાદેવના આ તીર્થસ્થળનો ઉલ્લેખ શ્રી મહાશિવપુરાણમાં રૂદ્રસહિતાં ભાગ –2, અધ્યાય–11 માં પાન નં. 358 ઉપર તથા અઢાર પુરાણોમાંના સૌથી મોટા સ્કંદ મહાપુરાણમાં કુમારીકા ખંડમાં 72માં પાનાથી 189 નંબરના પાના સુધી વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની શોધ આશરે 200 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ મંદિરનું શિવલિંગ 4 ફૂટની ઊંચાઈ અને 2 ફૂટનો વ્યાસ ધરાવે છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

સ્કંદ મહાપુરાણમાં વર્ણવેલ કથા અનુસાર તાડકાસુર નામના એક શિવભક્ત રાક્ષસે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ફળસ્વરૂપે ભગવાન શિવે તાડકાસુરને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે તાડકાસુરે ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું કે તેને કોઈ મારી ન શકે જેના બદલામાં ભગવાને કહ્યું કે આ તો અસંભવ છે. ત્યારે તાડકાસુરે એવું વરદાન માંગ્યું કે તેને માત્ર શિવપુત્ર જ મારી શકે કે જેની ઉંમર માત્ર 6 દિવસની જ હોય (આવું વરદાન માંગવા પાછળનું કારણ એવું હતું કે તાડકાસુર જાણતો હતો કે શિવ ભગવાન વૈરાગી છે એટલે એમના લગ્ન-સંસાર અને બાળકનો પ્રશ્ન જ ઉભો નહી થાય અને તેને કોઈ મારી જ નહી શકે). આ સાંભળીને ભગવાન શિવે તાડકાસુરને આ વરદાન આપી દીધું. આ વરદાન મળતાની સાથે જ તાડકાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. તેનાથી હેરાન-પરેશાન થઈને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓ ભગવાન શિવ પાસે ગયા અને ભોળાનાથને તાડકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે આજીજી કરી. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શિવ-શક્તિના તેજથી શ્વેત પર્વતના કુંડમાં કાર્તિકેય ઉત્પન્ન થયા. આ શિવપુત્ર કાર્તિકેયને 6 માથા, 4 આંખો અને 12 હાથ હતા. આમ આ 6 દિવસના કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો અને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓને તાડકાસુરના આતંકમાંથી મુક્ત કર્યા. પરંતુ ત્યારબાદ કાર્તિકેયને ખબર પડી કે તે અસુર તાડકાસુર શિવભક્ત હતો જેથી તેઓને ખુબ દુ:ખ થયું. તેઓ પિતાના પરમભક્તની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. જેથી તેમણે દેવતાઓના માર્ગદર્શન હેઠળ મહીસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી અને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં ત્યાં બિરાજમાન થયા હતા. ત્યારથી જ આ વિશ્વનંદક સ્તંભના નામથી આ જગ્યાનું નામ સ્તંભેશ્વર પડ્યું.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

કહેવાય છે કે અહીં પવિત્ર નદી મહિસાગરનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જેથી તેને “સંગમેશ્વર તીર્થ”, “સંગમ તિર્થ” કે પછી “ગુપ્ત તિર્થ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર સ્થળ પર શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોકામના પૂર્ણ થાય છે અને ઈચ્છા મુજબનું ફળ પણ પ્રાપ્ત થાય છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

મહાશિવરાત્રિ તેમજ અમાસના દિવસે અહીં થાય છે મેળાનું આયોજન

સ્તંભેશ્વર મંદિરે (Stambheshwar Mahadev Temple) મહાશિવરાત્રિના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે અહીં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. તેમજ દર અમાસે અહીં મેળો ભરાય છે. ભગવાન ભોળાનાથના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે ચારે પ્રહર સુધી અહીં મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત પૂનમ તેમજ અગિયારસની રાત્રે પણ હજારો ભક્તો સમગ્ર રાત્રી દરમ્યાન ભગવાન શિવની વિશેષ પૂજાનો લાભ લે છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

શ્રદ્ધાળુઓને ભરતી અને ઓટનો સમય ખબર રહે એ માટે ખાસ હીં આપવામાં આવે છે પેમ્પલેટ

અહીં આવનારા તમામ શ્રદ્ધાળુઓને ખાસ પેમ્પલેટ આપવામાં આવે છે. જેમાં દરિયામાં ભરતી અને ઓટનો સમય લખેલો હોય છે. જેથી ભરતી દરમ્યાન મંદિરના પરિસરને ખાલી કરવામાં શ્રદ્ધાળુઓનો સહકાર મળે અને અહીં આવનારા લોકોને શિવજીના દર્શન કરવા માટે હેરાન પણ ન થવું પડે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

શ્રાવણ મહિનામાં અહીં લોકોની સંખ્યા હજારોમાં હોય છે. તેમજ લાખોની સંખ્યામાં બીલીપત્રો સ્તંભેશ્વર મહાદેવ પર ચઢાવવામાં આવે છે. આ સાથે હજારો લીટર દૂધ અને શેરડીના રસથી મહાદેવ પર અભિષેક કરવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવના મંદિરની આરતી શંખ, નગારા, ઘંટ જેવા અલગ-અલગ વાજિંત્રો વગાડીને કરવામાં આવે છે. અહીંનું પુણ્ય લાખો ગણું છે. જે પુણ્યના ભાગીદાર બનવા માટે શ્રાવણ મહિનામાં દેશભરમાંથી લોકો અહીં આવે છે.

આ અલૌકિક પવિત્ર તીર્થધામના દર્શન કરી ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે. આ સાથે શિવલિંગનું સમુદ્ર દ્વારા કરવામાં આવતા જળાભિષેકની પ્રાકૃતિક ઘટનાના આ અલૌલિક દ્રશ્યને નિહાળવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. જો હજુ સુધી આ ચમત્કારિક શિવાલયના તમે દર્શન ન કર્યા હોય તો એકવાર આ સ્તંભેશ્વર મહાદેવના મંદિરની અવશ્ય મુલાકાત લેજો.

Read Also

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
  • સ્તંભેશ્વર મહાદેવ મંદિર – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 172 km.) – Rs.4000 – 5500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1200 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1200 – 2000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
  • કુલ – આશરે 7,400 થી 12,000/—
  • અંતર (Distance)
  • અમદાવાદથી – 172 km.
  • વડોદરાથી – 75 km.
  • રાજકોટ – 317 km.
  • સુરતથી – 173 km.
  • કચ્છથી – 570 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કાવી/કંબોઈ બસ સ્ટોપ, કાવી/જંબુસર/ભરૂચ રેલ્વે સ્ટેશન, વડોદરા એરપોર્ટ.

રાજકોટમાં આવેલી છે આ 191 વર્ષ જૂની એવી બોરડી કે, જેમાં એક પણ કાંટો જ નથી

Posted By admin August 8, 2021
Rajkot Prasadini Bordi

બોરડી આ નામ સાંભળતા જ તમને એના ખાટા મીઠા બોર યાદ આવી જાય, આ ખાટા મીઠા બોર જે બોરડી આપે છે એ જ બોરડીમાં તીક્ષ્ણ કાંટાઓ પણ આવેલા હોય છે. પરંતુ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં એક એવી પ્રાચીન બોરડી આવેલી છે કે જે બોરડીમાં કાંટા જ નથી (Rajkot Prasadini Bordi), જાણીને નવાઈ લાગશે પરંતું આ સનાતન સત્ય છે.

Rajkot Prasadini Bordi

સ્વયં ભગવાન સ્વામિનારાયણના હસ્તે નિર્માણ પામેલા મુખ્ય છ ધામમાં પ્રભુ શ્રી હરિએ પોતે જ મુર્તિઓ સ્થાપિત કરી હતી. જેમાં અમદાવાદ (શ્રી નરનારાયણ દેવ), ભુજ (શ્રી નરનારાયણ દેવ), વડતાલ (શ્રી લક્ષ્મીનારાયણ દેવ), ધોલેરા (શ્રી મદનમોહન દેવ), જૂનાગઢ (શ્રી રાધારમણ દેવ), ગઢપુર (શ્રી ગોપીનાથજી મહારાજ)નો સમાવેશ થાય છે. પરંતુ આજથી આશરે 191 વર્ષ પહેલાં બનેલી એક ચમત્કારિક દૈવી ઘટના અને તેની સ્મૃતિને સંઘરીને બેઠેલા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરનો મહિમા કાંટા વિનાની બોરડીને કારણે આ બધા મંદિરો કરતાં વિશેષ રહ્યો છે.

Rajkot Prasadini Bordi

દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને આ મંદિર માટે જગ્યા ખરીદી હતી

રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની ધરા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પદરજથી પાવન થઈ છે. નિજ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા, શ્રી ઘનશ્યામજી મહારાજ બિરાજમાન છે. મેંગણીના દરબાર અભેસિંહજી દ્વારા આ મંદિર માટેની જગ્યા ખરીદવામાં આવી હતી. એ સમયમાં દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને ભૂપેન્દ્ર રોડ પર સ્થિત મંદિર માટે જગ્યા ખરીદી હતી. ત્યારબાદ સ્વામિનારાયણની છત્રી બનાવી હતી. હાલ આ જ મંદિરના પ્રાંગણમાં આ પ્રસાદીની બોરડી સ્થિત છે.

Rajkot Prasadini Bordi
Rajkot Prasadini Bordi

પ્રસાદીની બોરડીનો (Rajkot Prasadini Bordi) મહિમા

આ પૃથ્વી પર અનેક વૃક્ષો આવેલાં છે. પરંતુ મંદિરના પટાંગણમાં આવેલી બોરડી (Rajkot Prasadini Bordi) વિશ્વનું એક એવું વૃક્ષ છે કે જેણે એક સંતના વચનના કારણે અનાદિકાળનો ક્યારેય ન બદલાય એવો કાંટાળો સ્વભાવ છોડી દીધો હતો. અંગ્રેજ સલ્તનત મુંબઈ ઇલાકાના ગવર્નર સર જ્હૉન માલકમના આમંત્રણને માન આપીને ભગવાન શ્રી હરિ સવંત 1886 ના ફાગણ સુદ – 5 એટલે કે તા. 26-02-1830 ના રોજ રાજકોટ પધાર્યા હતા. ત્યારે આ બોરડીની બાજુમાં સંતો અને હરિભકતોની સભા કરીને બિરાજમાન હતા. આ સમયે યોગીરાજ સદ્. ગોપાળાનંદ સ્વામી આ બોરડીની નીચેથી પસાર થયા અને બોરડીના કાંટા સ્વામીજીના રૂમાલ (પાઘ)માં ભરાયા તેથી સ્વામીજીના મુખમાંથી અચાનક જ શબ્દો સરી પડ્યા, “અરે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમનારાયણનો તને સાક્ષાત સંબંધ થયો છતાં તે તારો સ્વભાવ છોડ્યો નહિ” ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો સાંભળતાં જ બોરડીના તમામ કાંટા ખરી પડ્યા અને આ બદરીવૃક્ષ નિસ્કંટક (Rajkot Prasadini Bordi) બન્યું. જે આજે પણ ઇતિહાસનું સાક્ષી બનીને ઉભુ છે.

Rajkot Prasadini Bordi

નિસ્કંટક (કાંટા વિનાની) બોરડીની (Rajkot Prasadini Bordi) વિશેષતા

  • આશરે 191 વર્ષથી આ સ્થાને અડીખમ ઉભું છે બોરડીનું વૃક્ષ
  • આ વિશાળ બોરડીના વૃક્ષમાં નથી એક પણ કાંટો
  • વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી છે વિપરીત
Rajkot Prasadini Bordi
  • વિજ્ઞાનના તથ્યને ધર્મના રહસ્યથી ઉપજાવે છે અચંબો
  • પ્રસાદીની બોરડીમાં બારેમાસ આવે છે બોર
Rajkot Prasadini Bordi
  • ખાસ મંગળવાર અને શનિવારે અહીં ગોળ અથવા બોરની માનવામાં આવે છે માનતા
  • આ પ્રસાદીની બોરડીની પરિક્રમા કરવાથી ભક્તોના સાકાર થાય છે સંકલ્પો
  • અહીં ભક્તો દ્વારા બોરડીનું એક પણ પાન નથી આવતું તોડવામાં
  • બોરડીની નીચે પડેલા પાનને જ લેવામાં આવે છે પ્રસાદી તરીકે
  • આ જ બોરડીના બોરને કોઈ વાવે તો તેમાં આવે છે કાંટા પરંતુ આ બોરડી વર્તમાન સમયમાં પણ છે કાંટા વિનાની
Rajkot Prasadini Bordi

પ્રસાદીની બોરડીનો બદરીવંદન મહોત્સવ

ફાગણ સુદ પાંચમના રોજ બોરડીની ચમત્કારિક દૈવી ઘટના ઘટી હોવાથી બોરડીનો બદરીવંદન મહોત્સવ દર વર્ષે ફાગણ સુદ 5 ના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં પ્રસાદીની બોરડીની ભગવાનની જેમ જ પૂજા અર્ચના કરી, શોડાત્સવ અને અન્નકૂટ કરવામાં આવે છે.

Rajkot Prasadini Bordi

વનસ્પતિ શાસ્ત્રના નિયમ મુજબ કાંટાળી પ્રકૃતિ ધરાવતા વૃક્ષનું કાંટા વગર જીવિત રહેવું અશક્ય બાબત છે જેથી આ બાબતના તથ્યો શોધવા પ્રસાદીની આ અનોખી બોરડીમાં વનસ્પતિશાસ્ત્રીઓ આજદિન સુધી સંશોધન કરે છે. આશરે 191 વર્ષ જેટલા પુરાતન આ વૃક્ષને (Rajkot Prasadini Bordi) ગુજરાત સરકાર દ્વારા “હેરિટેજ ટ્રી” (ઐતિહાસીક વૃક્ષ) જાહેર કરાયું છે.

Rajkot Prasadini Bordi

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાણકારી

ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ સોમવાર, 2 એપ્રિલ 1781 ના રોજ સંવત 1837 ના રામનવમીના રોજ ઉત્તરપ્રદેશના છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિમાતાના ઘરે થયો હતો. રામપ્રતાપજી અને ઇચ્છારામજી તેમના ભાઈ છે. ભગવાન તેમના બાળપણમાં “ઘનશ્યામ”(ભક્તિ-માતા દ્વારા આપવામાં આવેલ) નામે અને ત્યારબાદ “નીલકંઠ વર્ણી” (છપૈયામાં માર્કંડે ઋષિ દ્વારા આપેલું), “હરિ કૃષ્ણ”, “સહજાનંદ સ્વામી”, “નારાયણ મુનિ” (પિપ્લાનામાં રામાનંદ સ્વામી દ્વારા આપવામાં આવેલ), “શ્રીજી મહારાજ” (તેમના ભક્તો દ્વારા આપવામાં આવેલ) નામે જાણીતા છે. ઘનશ્યામજી મહારાજની 11 વર્ષની ઉંમરે તેમના માતા-પિતા પંચમહાભૂતમાં વિલિન થયા હતા. ત્યારબાદ તેમને ઘર છોડીને ભારત ભ્રમણની શરૂઆત કરી અને રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા હતા. 7 વર્ષ, 1 મહિનો અને 11 દિવસની મુસાફરી બાદ તેઓ ગુજરાત પહોંચ્યા અને વૈદિક ધર્મ, વૈરાગ્ય અને ધર્મદર્શન અને તેના મહત્વને તેઓએ વાસ્તવિક અર્થમાં સમજાવ્યું હતુ. શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો, ધાર્મિક પુસ્તકો, આચાર્યો અને સંતો માટે સારી વ્યવસ્થા સ્થાપિત કરી હતી, જેથી આવનાર પેઢી માટે ભવિષ્યમાં યોગ્ય માર્ગદર્શન મળી શકે.

Rajkot Prasadini Bordi

શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા કરવામાં આવેલી કામગીરી

  • સ્વામિનારાયણ ભગવાન દ્વારા એકાંતિક ધર્મની સ્થાપના કરવામાં આવી હતી
  • તેમના દ્વારા 2000 થી વધુ સાધુઓને અને 500 જેટલા પરમહંસ તરીકે દીક્ષા આપવામાં આવી હતી
  • તેઓએ સાધુઓ દ્વારા લખાયેલા શાસ્ત્રો અને પ્રમાણિત પ્રાચીન શાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં આપ્યો છે
  • તેમના દ્વારા સતી પ્રથા, સ્ત્રી બાળ હત્યા અને પ્રાણીઓની બલીની પ્રથા નાબુદ કરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા
  • મહિલાઓને શિક્ષીત કરવા માટે ભકતોને પ્રોત્સાહિત કર્યા હતા
  • બોમ્બેના રાજ્યપાલ સર જોન માલ્કમને ઘનશ્યામજી મહારાજે સ્વયં પોતાના હસ્તે શિક્ષાપત્રી આપી હતી
  • જો કે હાલ આ શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુકેમાં બોડેલીયિન લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે
Rajkot Prasadini Bordi

ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર અંગે માહિતી

  • વિક્રમ સવંત 2009 ના માગશર સુદ આઠમ તા. 6 નવેમ્બર, 1951 ના દિવસે આ મંદિરની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા
  • સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત શ્રી કૃષ્ણવલ્લભાચાર્યની પ્રાર્થનાથી વડતાલ ગાદીપતિ પ.પૂ.આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજના કર કર્મોથી કરવામાં આવી હતી મંદિરમાં ભગવાનના સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા
  • બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને પોતાના સામાજિક કાર્યો માટે આવતા લોકો માટે મંદિરમાં ભોજન અને રહેવા માટે 50 જેટલા રૂમ છે અહીં
  • વિચરણ કરતાં સંતો માટે સંત નિવાસની વ્યવસ્થા
  • એકસાથે 1000 જેટલા ભક્તો ભોજન લઈ શકે એટલું વિશાળ ભોજનાલય છે અહીં
  • “ગાયોનું જતન એટલે સંસ્કૃતિનું જતન” આ સૂત્ર સાથે અહી ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે અહીં
Rajkot Prasadini Bordi
  • ઐતિહાસીક ઘટનાનું સાક્ષી આ મંદિર “ગુજરાતના બદરીધામ” તરીકે જાણીતું
  • 2500 જેટલા ભક્તો કથા-વાર્તા સંભાળી શકે એ માટે એસી.ની સુવિધા ધરાવતો શ્રી ઘનશ્યામ સત્સંગ હોલ છે અહીં
Rajkot Prasadini Bordi
  • ઉદ્ધવજીનો અવતાર શ્રી રામાનંદ સ્વામીના ચરણોથી આ ભૂમિ પાવન થયેલી છે
  • સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના ઉપયોગમાં આવેલી વસ્તુઓને કહેવામાં આવે છે પ્રસાદીની વસ્તુઓ
  • આથી જ આ બોરડીને પણ કહેવામાં આવે છે પ્રસાદીની બોરડી
  • સવારે 3:30 થી રાતના 10:00 વાગ્યા સુધી હરિભકતોની ધમધમતું હોય છે આ મંદિર

“જો સાધના કોઈ કરે, તોય જાતિ સ્વભાવ ન જાય |
પણ સંત વચન જો ઉર ધરે, તો એ બદરી સમ થાય ||”

આ ઉક્તિને આ નિસ્કંટક બોરડીએ સિદ્ધ કરી છે. આજે માણસ પોતાના દુર્ગૂણ છોડી શકતો નથી પરંતુ આ બોરડીએ પોતાનો સ્વભાવ છોડી દીધો.

આ બોરડી માટે એક સરસ મજાના કીર્તનની રચના થયેલી છે જેના બોલ આ પ્રકારના છે

બોરડી બોરડી રે જુવો કાંટા વિનાની આ બોરડી…

જો તમે હરિભક્ત હોય કે ન હોય પરંતુ જીવનમાં એકવાર તો આ બોરડીના દર્શન અવશ્ય કરવા જ જોઈએ.

Rajkot Prasadini Bordi

Read Also

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

  • અંતર (Distance)
  • અમદાવાદથી – 214 km.
  • વડોદરાથી – 289 km.
  • સુરતથી – 450 km.
  • કચ્છથી – 300 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – રાજકોટ બસ સ્ટોપ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા

આલેખન – રાધિકા મહેતા

આ કારણથી થઇ હતી ખેડબ્રહ્મામાં બ્રહ્માજીના મંદિરની સ્થાપના

Posted By admin July 23, 2021
Khedbrahma Brahma Temple

ભારતમાં બ્રહ્માજીના મંદિર

હિન્દુ ધર્મમાં ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ : સર્જક, સંભાળનાર અને વિનાશક તરીકે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુના અવતારના અનેક મંદિરો જોવા મળે છે. તેમજ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ તથા શિવાલયો પણ જોવા મળે છે. પરંતુ જ્યારે બ્રહ્માજીના મંદિરની વાત આવે ત્યારે આપણને ગણ્યાગાઠ્યા જ મંદિર યાદ આવે, જેમકે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળા નજીક સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં (Khedbrahma Brahma Temple) અને રાજસ્થાનના પુષ્કરમાં આવેલા મંદિર સદીઓ જૂના છે. જોકે વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં અમુક નવા મંદિરો બન્યા છે.

courtesy – instagram/skaravalli.tourist
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track

બ્રહ્માજીની ઉત્પતિ

પુરાણો અનુસાર બ્રહ્માનો જન્મ શેષશાયી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થયો છે. તેઓ વેદોનાં પિતા અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું છે. કમળ ખુલતા જ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં મસ્તક ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને “ચતુર્મુખ બ્રહ્મા” પણ કહેવામાં આવે છે. બ્રહ્માએ પૃથ્વી પર નદી, તળાવો, વૃક્ષો, પર્વતો, પશુ, પક્ષી વગેરે બનાવ્યા પછી મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે માનસ પુત્રની રચના કરી, જેનું નામ મનુ (મનથી જન્મેલો) પડ્યું. બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ પુરાણો અનુસાર, આપણે સહુ આ મનુનાં સંતાનો છીએ. આમ બ્રહ્મા “સૃષ્ટિસર્જક” તરીકે પણ ઓળખાય છે.

Khedbrahma Brahma Temple
courtesy – instagram/skaravalli.tourist
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track

સતી દેવીના રૂપથી બ્રહ્માજી ક્ષણિક મોહભંગ થયેલા (પુરાણમાં જણાવેલી બ્રહ્માજી વિશેની માહિતી)

શિવજીના લગ્નમાં સતી દેવીના રૂપથી બ્રહ્માજી ક્ષણિક મોહભંગ થયેલા એ પાપમાંથી મુક્ત થવા માટે આ સ્થળે બ્રહ્માજીએ યજ્ઞ કરેલો. ભગવાન વિશ્વકર્મા પાસે 16 દરવાજાવાળી સુંદર નગરી બંધાવી હતી. યજ્ઞ સમયે સાવિત્રી દેવી રિસાઈ ગયેલા એટલે દર્ભ કન્યાને ઉત્પન્ન કરી બ્રહ્માજી તેમની સાથે બેસીને યજ્ઞ કરેલો હતો. ત્યારબાદ સાવિત્રી દેવી આવ્યા જેથી બંનેની સાથે રહીને બ્રહ્માજી આ યજ્ઞ સંપન્ન કરેલો એટલા માટે ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્મા, સાવિત્રી દેવી અને ગાયત્રી દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. સમગ્ર ભારતભરમાં પુષ્કર અને ખેડબ્રહ્મા બે જ એવા સ્થળો છે જ્યાં બ્રહ્માજીના મંદિર હાલના સમયમાં અસ્તિત્વ ધરાવે છે અને આ મંદિરોમાં સેવા-પૂજા થાય છે. આ મંદિરના પરિસરમાં શિવ, નવગ્રહ અને હનુમાનજીની મૂર્તિઓ પણ આવેલી છે. જયારે મંદિરની કેટલીક મૂર્તિઓ ભૂતકાળમાં આક્રમણ સમયે ખંડિત થયેલી છે.

courtesy – Youtube/safar track

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું (Khedbrahma Brahma Temple) બ્રહ્માજી મંદિર

આ મંદિર (Khedbrahma Brahma Temple) આશરે 1500 વર્ષ જૂનું છે. ગામનું નામ બ્રહ્માજીના નામ પરથી જ ખેડબ્રહ્મા પડ્યું છે. સતયુગમાં ખેડબ્રહ્મા બ્રમ્હપુર, દ્વાપરયુગમાં ત્રંબકપુર અને કળયુગમાં બ્રમ્હખેટક તરીકે જાણીતું છે. આ મંદિરમાં બ્રહ્માજીની પ્રતિમા આશરે 6 થી સાડા 6 ફૂટ ઊંચી છે. તેમના હાથમાં માળા, કમંડળ અને પુસ્તક છે. આજુ-બાજુ દેવી સાવિત્રી અને ગાયત્રીમાતા બિરાજમાન છે. મંદિરની બહારની બાજુએ ત્રણ દિશામાં બ્રહ્માજીની પ્રતિમા મૂકેલી છે જેનું રૂપ બિન્યાસ મંદિરની મુખ્ય પ્રતિમાને અનુરૂપ છે. મંદિરમાં તેમના વાહન નંદી, ઘોડો અને હંસ દર્શાવેલ છે. સામાન્ય રીતે ઘોડા કે નંદીને બ્રહ્માના વાહન તરીકે દર્શાવતા નથી. પરંતુ ખેડબ્રહ્મામાં આ વિશેષતા જોવા મળે છે. સદીઓથી મંદિરમાં સેવા-પૂજા અને વહીવટ ખેડાવાળ સમાજના બ્રાહ્મણો દ્વારા જ કરવામાં આવે છે.

Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track

મંદિર પરિસરમાં આવેલી બ્રહ્મા વાવ છે 700-800 વર્ષ જૂની (Khedbrahma Brahma Temple)

મંદિરની નજીક લગભગ 700-800 વર્ષ જૂની બ્રહ્મા વાવ આવેલી છે. વાવમાં ખેડાવાળ બ્રાહ્મણ તથા હમ્મડ જૈન સમાજના કુલ 27 કલાત્મક ગોખ આવેલા છે. પરંતુ આ ગોખમાં કોઈ પ્રતિમા જોવા મળતી નથી. વાવ નંદા પ્રકારની (એટલે એક પ્રવેશદ્વાર ધરાવતી) તેમજ ચાર માળની છે. જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત છે. આ વાવનો ઉલ્લેખ બ્રાહ્મણ ઉત્પત્તિ માર્કંડ નામના ગ્રંથમાં થયો છે. તેમજ આ સ્થળનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ, માનસર, રૂપમંડળ, સમરાંગલ સૂત્રધાર જેવા પુસ્તકોમાં થયેલો જોવા મળે છે.

Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track
  • ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 139 km.) – Rs. 3,360 – 5,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 800 – 1,500
  • જમવાનો ખર્ચ – Rs.1,200 – 1,600
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 700 – 1,200
  • કુલ – આશરે 6,100 થી 9,500/—

Read Also

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

  • અંતર (Distance)
  • અમદાવાદથી – 139 km.
  • વડોદરાથી – 233 km.
  • સુરતથી – 389 km.
  • રાજકોટ – 351 km.
  • કચ્છ – 472 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – ખેડબ્રહ્મા બસ સ્ટોપ, પાલનપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ

આલેખન – રાધિકા મહેતા

રાજકોટમાં આવેલુ આ અમરઝાડ છે અજીબો-ગરીબ, ઝાડ નીચે બેસી ગાંઠિયા ખાઈ માનતા પૂરી કરવાની આશ્ચર્યજનક પરંપરા

Posted By admin July 17, 2021
Rajkot Amarzad

રાજકોટના ઠાકોર સાહેબ સ્વ.મનોહરસિંહજી જાડેજા સાહેબના પુત્ર માંધાતાસિંહ જાડેજા સાહેબની માલિકીના રણજીત વિલાસ પેલેસ એટલે કે રાજવી પરિવારના પેલેસના પ્રાંગણમાં આશરે 1000 કરતાં પણ વધારે વર્ષો જુનું એક ચમત્કારિક ઝાડ આવેલું છે. આ ચમત્કારિક ઝાડને “અમરઝાડ” (Rajkot Amarzad) તરીકે ઓળખવામાં આવે છે. આશરે 1000 વર્ષ જૂના આ “અમરઝાડ” નીચે ભગવાન દત્તાત્રેયનું સ્થાનક આવેલું છે.

Rajkot Amarzad

ક્યાં આવેલું છે આ અમરઝાડ (Rajkot Amarzad)?

રાજકોટમાં આવેલા પેલેસ રોડ પરનો ભવ્ય મહેલ એટલે, રણજીત વિલાસ પેલેસમાં રાજવી પરિવાર દ્વારા આ પ્રાચીન અમરઝાડ (Rajkot Amarzad) માટે 500 વાર જગ્યા ફાળવવામાં આવેલ છે. આમ તો રાજ પરિવારના ખાનગી માલિકીના રણજીત વિલાસ પેલેસની મુલાકાત જાહેર જનતા માટે પ્રતિબંધિત છે. પરંતુ તેમના દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા પર રાજવી પરિવારની પરવાનગીથી લોકો દર્શનાર્થે આવી શકે છે. આ અમરઝાડને તેના થડના આકાર અને 1000 વર્ષના આયુષ્યના કારણે “ગાંડુઝાડ” પણ કહેવામાં આવે છે.

Rajkot Amarzad

આ અમરઝાડ (Rajkot Amarzad) વિશેની માહિતી મેળવવા માટે traveltoculture.com દ્વારા આ મંદિરના પૂજારી જયેશભાઈ ભટ્ટ સાથે વાત કરતાં જયેશભાઈએ જણાવ્યું કે, આશરે એમની સાત પેઢીથી અહીં સેવા-પૂજા કરવામાં આવે છે.

Rajkot Amarzad

આ અમરઝાડ (Rajkot Amarzad) અને અહીં આવેલા ભગવાન દત્તાત્રેયના સ્થાનકના ઈતિહાસ અને એની સાથે જોડાયેલી આસ્થા વિશે જયેશભાઈએ જણાવ્યું કે અહીં આવેલા આ અમરઝાડની નાના બાળકોથી માંડીને પુખ્ત વયના લોકોને થતી મોટી ઉધરસ જેવી બીમારી માટે માનતા રાખવામાં આવે છે. માનતા પૂરી કરવા માટે લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા ધરાવવામાં આવેલો ગાંઠિયાનો પ્રસાદ આ જગ્યા પર જ બેસીને આરોગવાની અહીંયા પરંપરા છે. અહીં ધરાવવામાં આવેલો પ્રસાદ ઘરે લઈ જવામાં આવતો નથી પરંતુ જેને માનતા રાખેલી હોઈ એમના દ્વારા જ આ પ્રસાદ અહીંયા બેસીને આરોગવામાં આવે છે. આ માટે આ ઝાડ નીચે બેસવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ભાવિકો શાંતિથી બેસીને પોતે ધરાવેલી પ્રસાદી ગ્રહણ કરી શકે છે.

Rajkot Amarzad

શા માટે અહીં ધરાવવામાં આવે છે ફક્ત ગાંઠિયાનો જ પ્રસાદ?

જેમને માનતા રાખેલી છે એમના દ્વારા જ અહીં બેસીને ગાંઠિયાનો પ્રસાદ આરોગવાની અજીબ પરંપરા પાછળનું કારણ જાણવા માટે જયેશભાઈને પૂછતાં જાણવા મળ્યું કે, અહીં એવી પરંપરા છે કે જે પણ માનતા પૂરી કરવા માટે આવે છે અને એમના દ્વારા જે પ્રસાદ ધરાવવામાં આવે છે. એ પ્રસાદ એમના દ્વારા જ અહીં બેસીને આરોગીને પૂર્ણ કરીને જવાનો હોય છે. ગાંઠિયા ત્યાં જ બેસીને ખવાઈ જાય અને બગાડ ન થાય એ કારણથી જ અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં ગાંઠિયાની સાથે દાળિયા કે ચણાના લોટમાંથી બનેલી કોઈપણ વાનગી, ફળ કે શ્રીફળ પણ ધરાવીને માનતા પૂરી કરી શકાય છે. પરંતુ ત્યાં જ બેસીને ધરાવેલો પ્રસાદ આરોગીને પૂર્ણ કરીને જવાની માન્યતાના કારણે મોટા ભાગના લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ જ ધરાવે છે. આ જ કારણના લીધે વર્ષોથી અહીં માનતા પૂરી કરવા માટે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવાની એક પરંપરા બની ગઈ છે.

Rajkot Amarzad

ઝાડની (Rajkot Amarzad) જાણવા જેવી માહિતી

  • પુજારી જયેશભાઈના જણાવ્યા મુજબ આ ઝાડ છે ગોરખ આંબલીનું
  • આ ઝાડનું આયુષ્ય આશરે 1000 વર્ષ
  • 10 થી 15 લોકોના બાથમાં (બે હાથ પહોળા કરતાં તેમાં સમાય એટલું) આવે એટલો મોટો આ ઝાડના થડનો ઘેરાવો
  • ઋતુ પ્રમાણે ફળ-ફૂલ આવે છે આ અમરઝાડ પર
  • પાનખરમાં પાન ખરે પણ છે અને વસંત ઋતુમાં ત્રણ, પાંચ અને સાતની સંખ્યામાં નવા પાન પણ આવતાં મળે છે જોવા
  • અહીં વિશાળ ઝાડ નીચે બિરાજમાન છે ગુરુ દત્તાત્રેયનું સ્થાનક
  • આ અમરઝાડ પર વસે છે 5 થી 10 હજાર ચામાચીડિયાનો સમૂહ
  • આ પવિત્ર જગ્યાના ચામાચીડિયાઓ પણ છે શાકાહારી, માત્ર ફળોને જ બનાવ્યો છે પોતાનો ખોરાક
Rajkot Amarzad
Rajkot Amarzad

કેન્સર જેવા રોગોમાંથી પણ લોકો થયા છે મુક્ત

આ તમામ માહિતી આપવાની સાથે જયેશભાઈ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે અહીંયા માત્ર મોટી ઉધરસ જ નહીં પરંતુ સાચી શ્રદ્ધા સાથે માનતા રાખવામાં આવે તો કેન્સર સુધીના રોગોમાંથી લોકો મુક્ત થયા છે. આ સાથે અહીં લોકો દ્વારા બાળક બોલતું ન હોય, ધંધા-રોજગારની સમસ્યા, નિ:સંતાનપણું, કોઈ મોટી બીમારી વગેરે જેવી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માનતા માનવામાં આવે છે.

Rajkot Amarzad

માનતા પૂરી કરવા આવેલા લોકોએ traveltoculture.com સાથે વાત કરતાં જણાવ્યું કે, જો શ્રદ્ધાપૂર્વક માનતા માનવામાં આવે તો તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે જે અમે જાતે અનુભવ કરેલો છે. દિવસ દરમ્યાન ઘણાં ભાવિકો અહીં માનતા પૂરી કરવા માટે આવે છે અને પોતાના રોગો, સમસ્યાઓમાંથી છુટકારો મેળવે છે. લોકો જણાવે છે અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેય પરની અપાર આસ્થાના કારણે ભાવિકો આ અમરઝાડની માનતા રાખીને પોતાની સમસ્યાઓમાંથી મુક્ત થાય છે.

અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયનો ઈતિહાસ

અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયના સ્થાનક વિશે પૂછતાં પૂજારી જયેશભાઈ ભટ્ટએ જણાવ્યું કે એમના પૂર્વજોના કહેવા અનુસાર આશરે 1000 વર્ષ પૂર્વે ગુરુ દત્તાત્રેયના કોઈ શિષ્ય ભ્રમણ કરતાં-કરતાં આ જગ્યા પર આવ્યા હતા અને આ ઝાડ નીચે ગુરુ દત્તાત્રેયના મૂર્તિની સ્થાપના કરી હતી. આ સાથે આ સ્થાનક પર ગુરુ દત્તાત્રેયના શિષ્ય દ્વારા સાધના અને તપ કરીને આ જગ્યાને પાવન કરવામાં આવી હતી. ત્યારથી આ જગ્યાનું ધાર્મિક મહત્વ વધતું ગયું અને આજે આ જગ્યાના ઓરાથી (aura) લોકો માનસિક શાંતિ અનુભવે છે.

Rajkot Amarzad

Read Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

ગુરુ દત્તાત્રેયના ઉદ્દભવ અંગેની જાણકારી

ગુરુ દત્તાત્રેયની ગણના ભારતીય ઈતિહાસના એક મહાન ઋષિ તરીકે કરવામાં આવે છે. ત્રિમુખી ભગવાન ગુરુ દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર છે. પુરાણો અનુસાર ઋષિ અત્રિ અને અનસૂયાને ત્રણ પુત્ર થયા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ અને ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્ત શબ્દનો અર્થ થાય છે “આપેલું”. અત્રિ ઋષિ અને ઋષિપત્ની અનુસુયાને વરદાનરૂપે ત્રિદેવ અવતર્યા હતા. જેથી તેમને “દત્તાત્રેય” કહેવાય છે. તેઓ અત્રિ ઋષિના પુત્ર હોવાથી “અત્રેય” નામે પણ ઓળખાય છે. અવધૂત પુરાણ અનુસાર પૃથ્વી, ચંદ્ર, હરણ, કબૂતર, પિંગળા ગણિકા, કુંવારિકા, આકાશ, અગ્નિ, વાયુ, ગજ, શરકૃત, અભર્ક, ટીટોડી, મીન, મધમાખી, પતંગિયું, ભમરો, મકડી, સમુદ્ર, સૂર્ય, જળ, સાપ, ભમરી, અજગર જેવા 24 ગુરુ પાસેથી ગુરુ દત્તાત્રેય દ્વારા શિક્ષા લેવામાં આવી હતી. અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાનજી, વિભીષણ અને પરશુરામની જેમ ગુરુ દત્તાત્રેય પણ ચિરંજીવી છે. જુનાગઢમાં આવેલ ગિરનારએ ગુરુ દત્તાત્રેયની સિદ્ધપીઠ છે.

Rajkot Amarzad

ભગવાન પરનો ભરોસો હંમેશા કોઈ ચમત્કાર સર્જે છે. ઘણા લોકો આ ચમત્કારના સાક્ષી બન્યા છે. સાચી શ્રદ્ધા સાથે માનવામાં આવેલી માનતાનું અહીં ચોક્કસ પરિણામ મળ્યું છે. જો તમે ભગવાનમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવો છો અને 1000 વર્ષ જુના મહાકાય અમરઝાડને જોવાની ઈચ્છા ધરાવો છો તો એકવાર આ જગ્યાની અચૂક મુલાકાત લેવા જેવી છે.

મંદિરનો સમય

  • સોમવારથી શનિવાર – બપોરે 4 થી સાંજના 7
  • રવિવારે – સવારે 9 થી 1, સાંજે 4 થી 7

ખાસ નોંધ – તહેવારોમાં આ સમય સિવાય દર્શન બંધ રહેશે

  • અંતર (Distance)
  • અમદાવાદથી – 214 km.
  • વડોદરાથી – 289 km.
  • સુરતથી – 450 km.
  • કચ્છથી – 300 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – રાજકોટ બસ સ્ટોપ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ.

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા

શા માટે અમદાવાદની રથયાત્રાનું છે અનેરું મહત્વ, જાણો ભગવાનના રથનો મહિમા…

Posted By admin July 13, 2021
Jagannath Rath Yatra Ahmedabad

કોઈપણ ધર્મમાં ભગવાનને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. એટલે જ ભક્તો ભગવાનના દર્શનાર્થે જતા હોય છે, પણ અષાઢી બીજ એક એવો દિવસ છે કે જ્યારે ખુદ જગતનો નાથ ભકતોને દર્શન આપવા સામેથી તેમની પાસે જાય છે એટલે કે નગરચર્યા કરે છે. ઓડિશાના જગન્નાથપુરીની સાથે-સાથે અષાઢી બીજની અમદાવાદની રથયાત્રાનું પણ આગવુ મહત્વ છે. ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા (Jagannath Rath Yatra Ahmedabad) પુરી પછીની બીજા નંબરની સૌથી મોટી અને મહત્વની રથયાત્રા છે. અમદાવાદનું આ જગન્નાથ મંદિર વર્તમાન સમયમાં સમૃદ્ધ મંદિરોમાં સ્થાન પામે છે.

Jagannath Rath Yatra Puri
puri.nic.in
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

રથયાત્રાનું મહત્ત્વ (Jagannath Rath Yatra Ahmedabad)

મનુષ્યના શરીરની સરખામણી રથ સાથે કરવામાં આવે છે. આપણા રથરૂપી શરીરમાં આત્મારૂપી ભગવાન બિરાજમાન હોય છે. આમ રથયાત્રા શરીર અને આત્માના કલ્યાણ તરફ સંકેત કરે છે. આજ કારણના લીધે લોકો પ્રભુનો રથ ખેંચીને ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે રથ ખેંચવાથી મનની મનોકામના પૂરી થાય છે. આ સાથે ભગવાનને નજીકથી નિહાળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.

Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • રથયાત્રામાં ભગવાન ગણેશના પ્રતિક સમાન ગજરાજ સૌપ્રથમ જોડાય છે.
  • ગજરાજનો સુંદર શણગાર કરીને તેમનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • રથમાં બિરાજમાન પ્રભુ જગન્નાથના સૌ પ્રથમ દર્શન ગજરાજ કરે છે આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થાય છે.
  • રથ તૈયાર થયા બાદ તેની પૂજા કરવા માટે પુરીમાં ગજપતિ રાજાની પાલકી આવે છે.
  • જે રથની વિધિવત પૂજા કરે છે અને સોનાના ઝાડૂથી મંડપ અને રસ્તાને સાફ કરે છે.
  • આ પૂજા પ્રતિષ્ઠા “છેરા પહેરા” અથવા “પહિંદ વિધિ” તરીકે ઓળખવામાં આવે છે.
  • અમદાવાદમાં રથયાત્રમાં 1990ના વર્ષથી પહિંદ વિધિ થાય છે, જે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • પ્રભુ જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મામાના ઘરે જાય છે. જ્યાં તેઓ ખૂબ જાંબુ અને કેરી ખાય છે. જેથી ભગવાનને આંખો આવે છે અને આંખો આવવાના કારણે તેમને મગ ધરવામાં આવે છે.
  • રથયાત્રામાં પણ પ્રસાદ તરીકે મગ આપવામાં આવે છે, કારણકે રથયાત્રા આશરે 22 કિમી જેટલું લાંબી પગપાળા યાત્રા છે આથી મગ શક્તિવર્ધક હોવાથી મગના પ્રસાદથી શ્રદ્ધાળુઓને થાક લાગતો નથી.

રથનો મહિમા (Jagannath Rath Yatra Ahmedabad)

  • રથયાત્રામાં ત્રણ રથ હોય છે.
  • જેમાં સૌથી આગળ તાલવનનાં દેવતા દ્વારા આપેલ રથ “તાલધ્વજ” પર શ્રી બલરામ, તેમની પાછળ “પદ્મધ્વજ” રથ પર બહેન સુભદ્રા અને સૌથી પાછળ ઇન્દ્ર દ્વારા આપેલ રથ “નંદીઘોષ” પર ભગવાન જગન્નાથ બિરાજે છે.
  • પ્રભુ જગન્નાથનો રથ, બલરામ અને સુભદ્રાના રથથી મોટો હોય છે.
  • નાળિયેરનું લાકડું હળવું હોવાથી તેમાંથી આ રથ બનાવવામાં આવે છે.
  • ભગવાન જગન્નાથના રથનો લાલ અને પીળો કલરનો ઉપરાંત બાકી રથોની સરખામણીએ વિશેષ આકારનો હોય છે.
  • રથની ખાસિયત એ છે કે રથમાં એકપણ ચૂક કે કાંટાનો પ્રયોગ કરવામાં આવતો નથી.
  • માત્ર એટલું જ નહિ પણ આ રથ બનાવવા માટે કોઈ ધાતુનો પણ ઉપયોગમાં કરવામાં આવતો નથી.
  • રથના લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસે થાય છે.
  • રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે.
  • દર વર્ષે રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવે છે.
  • બલરામનો રથ 43 ફૂટ ઉંચો અને તેમાં 14 પૈડા હોય છે.
  • તેને લાલ, લીલા અને આસમાની રંગથી સજાવવામાં આવે છે.
  • આ રથની ધજાને “ઉનાની” કહેવાય છે.
  • જે દોરડાથી તેને ખેંચવામાં આવે છે તેને વાસુકીનાગ કહેવાય છે.
  • બહેન સુભદ્રાનો રથ 42 ફૂટ ઉંચો અને તેમાં 12 પૈડા હોય છે.
  • લાલ અને કાળા રંગથી આ રથને શણગારવામાં આવે છે.
  • તેમાં “નંદ્વિકા” નામની ધજા લહેરાય છે.
  • આ રથને ખેંચવામાં આવતા દોરડાને સ્વર્ણચુડા નાગ કહેવાય છે.
  • પ્રભુ જગન્નાથનો રથ 45 ફૂટ ઉંચો અને તેમાં 16 પૈડા હોય છે જેનો વ્યાસ 7 ફૂટનો હોય છે.
  • રથને લાલ અને પીલા રંગથી સજાવવામાં આવે છે.
  • રથની ધજાને “ત્રૈલોક્યમોહની” કહે છે અને જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તેને શંખચુડા કહેવાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

ભગવાનની અર્ધનિર્મિત મૂર્તિ અંગેની માહિતી

ધ્યાનથી જોઈએ તો આ ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ અને મૂર્તિનો ઉપરનો ભાગ અધૂરો દેખાય છે. એક કથા અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ન નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક દિવસ રાજાને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવીને મંદિર સ્થાપવાનો વિચાર આવે છે. આ વિચાર પરિપૂર્ણ કરવા માટે એવું કહેવાય છે કે પ્રભુ જગન્નાથએ દેવતાઓના શિલ્પી તરીકે જાણીતા વિશ્વકર્માને રૂપ બદલીને રાજા પાસે મોકલ્યા હતા. તેમણે મૂર્તિ બનાવવા રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈએ બાધારૂપ ન બનવું. રાજાએ આ શરત સ્વીકારી, ઘણાં દિવસો સુધી કામ ચાલ્યું પણ અંતે રાજાની ધીરજ ખૂટતાં તેમને ઓરડાના દ્વાર ખોલી નાખ્યા જેથી વિશ્વકર્મા અલોપ થઈ ગયા, પરંતુ તેમના દ્વારા બનાવેલી અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. અંતે આજ મૂર્તિ મંદિરમાં સ્થાપીને મંદિર બનાવવામાં આવ્યું.

Jagannath Rath Yatra Puri
puri.nic.in
Jagannath Rath Yatra puri
odishatourism.gov.in

જગન્નાથપુરી મંદિરની જાણી-અજાણી માહિતી

  • ઓડિશા રાજ્યમાં આવેલું આ મંદિર આશરે 800 વર્ષ જૂનું છે.
  • મંદિરની ઊંચાઈ 214 ફૂટ તેમજ મંદિર આશરે 4 લાખ વર્ગફૂટનો વિસ્તાર ધરાવે છે. જેથી મંદિરની નજીક ઊભા રહીને તેનો ગુંબજ જોવો અસંભવ છે.
  • આ ગુંબજનો પડછાયો દિવસ દરમ્યાન જમીન પર પડતો નથી આથી કહી શકાય કે મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.
  • જગન્નાથ મંદિરને દરિયાએ 3 વખત ક્ષતિ પહોંચાડી હતી આથી પ્રભુ જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. પરંતુ હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા અને પાછળ દરિયો નગરમાં પ્રવેશ કરી જતો હતો. આથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. એટલા માટે ત્યાં આવેલું બેડી હનુમાનજીનું પ્રખ્યાત પ્રાચીન મંદિર છે.
  • આ મંદિરને સાઉન્ડ પ્રૂફ પણ કહી શકાય, કારણકે મંદિર દરિયાકાંઠાથી નજીક હોવા છતાં પણ મંદિરની અંદર મોજાનો અવાજ સંભળાતો નથી.
  • અહીં મંદિરમાં વિશ્વનું સૌથી મોટું ભોજનાલય છે.
  • અહીં ભક્તો માટે ભોજન તૈયાર કરવા માટે સાત વાસણ એક બીજાની ઉપર મૂકીને પ્રસાદ તૈયાર થાય છે.
  • જેમાં સૌથી ઉપર મુકેલા વાસણમાં પહેલાં પ્રસાદ તૈયાર થઈ જાય છે.
  • પુરી મંદિરની ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી રહે છે. તેમજ સુદર્શન ચક્ર પણ ખૂબ ચમત્કારિક છે.
  • આ સુદર્શન ચક્ર વિશે એવું કહેવાય છે કે તેને કોઈપણ દિશાથી જોતા તમને ચક્રનો ચહેરો તમારી તરફ છે એવું દેખાશે.
  • પુરી મંદિરમાં માત્ર ભારતીય હિન્દુઓને જ દર્શનાર્થે પ્રવેશ મળે છે. બાકીના લોકો માટે પ્રતિબંધ છે.
  • અહીં મંદિરના શિખર પર ક્યારેય કોઈ પક્ષી બેસેલું જોવા મળતું નથી તેમજ મંદિર ઉપરથી કોઈ પ્લેન પણ ઉડતું નથી.
  • અહીં દર 12 વર્ષે મૂર્તિ બદલી દેવામાં આવે છે. તેમજ મંદિરની ધજા રોજ બદલવામા આવે છે, જો બદલવામા ન આવે તો આવતા 18 વર્ષમાં મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

અમદાવાદના જગન્નાથ મંદિરના રથયાત્રાની માહિતી (Jagannath Rath Yatra Ahmedabad)

  • સાબરમતી નદી પાસે જમાલપુર ખાતે આવેલું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે.
  • હનુમાનદાસજી દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
  • સારંગદાસજીએ ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિ પણ મંદિરમાં સ્થાપી હતી.
  • 144 વર્ષ પહેલા મંદિરના મહંત નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાની શરુઆત કરવામાં આવી હતી.
  • અહીં સાગના લાકડામાંથી બનેલા રથ પર ભગવાન નગરચર્યા કરે છે.
  • પુરી પછીની બીજા નંબરની મોટી રથયાત્રા અમદાવાદમાં થાય છે.
  • રથયાત્રામાં (Jagannath Rath Yatra Ahmedabad) હાથી, અખાડા, ભજન મંડળી અને કર્તબબાજો જોડાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

Read Also

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન જગન્નાથ મામા ઘરે સરસપુર પહોંચી બપોરે આરામ કરીને સાંજે નીજ મંદિરમાં પરત ફરે છે.
  • મંદિરના મહંત મહારાજ નરસિંહદાસજી દ્વારા ભૂખ્યા માટે અન્ન ભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું.
  • વર્તમાન સમયમાં રોજના બે હજાર જેટલા ગરીબ, ભિખારી તેમજ જરૂરીયાતમંદ લોકોને ભોજન મળે છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • આ ઉપરાતં અહીં ગૌમૂત્ર આધારિત આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર, રોગગ્રસ્ત લોકોની સારવારાર્થે કાર્યરત છે.
  • 1878માં શરૂ કરવામાં આવેલી રથયાત્રા હાલ અમદાવાદની ઓળખ બની છે.
  • જય રણછોડ, માખણચોરના નાદ સાથે શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

આ સાથે ગુજરાતમાં અમદાવાદ બાદ રાજકોટ અને વડોદરામાં પણ પરંપરાગત રથયાત્રા યોજાવામાં આવે છે. પરંતુ અમદાવાદની રથયાત્રાનું અનેરું મહત્વ છે. જીવનમાં એકવાર અવશ્ય આ અમદાવાદની રથયાત્રાના (Jagannath Rath Yatra Ahmedabad) દર્શન કરવાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવવા જેવી છે.

આલેખન – રાધિકા મહેતા

ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત

Kantharpura Mahakali Vad

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામે વડનું એક વિશાળ વૃક્ષ આવેલું છે. વડના આ વિશાળ વૃક્ષના કારણે કંથારપુરા ગામ ગુજરાતભરમાં પ્રસિધ્ધી પામી રહ્યું છે. જેના કારણે કંથારપુરા ગામ પ્રવાસીઓ માટેની પસંદ બની રહ્યું છે.

Kantharpura Mahakali Vad

અમદાવાદથી 51 કિમી. અને ગાંધીનગરથી 30 કિમી. દુર આવેલું કંથારપુરા ગામ તેના 500 વર્ષ જુના વડના કારણે ગુજરાતભરમાં જાણીતું બન્યું છે. 2006 પહેલાં કંથારપુરાની આજુ-બાજુના લોકો જ તેનાથી માહિતગાર હતા. પરંતુ 2006ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કંથારપુરાને પ્રાકૃતિક પ્રવાસ ધામ તરીકે વિકાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ધીરે-ધીરે આ જગ્યાની લોકપ્રિયતા વધવા લાગી અને હાલ ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો આ વિશાળ અને રહસ્યમય વટવૃક્ષની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા છો તો એક દિવસના પિકનિક માટે આ એક પરફેક્ટ જગ્યા છે.

Kantharpura Mahakali Vad

કંથારપુરામાં (Kantharpura Mahakali Vad) આવેલા વડની જાણવા જેવી બાબતો

  • ગુજરાતના વિશાળ વૃક્ષમાં કબીરવડ પછી કરવામાં આવે છે કંથારપુરાના (Kantharpura Mahakali Vad) વડની ગણતરી
  • આ વડનું વૃક્ષ 40 મીટર ઊંચું અને અડધા એકરથી વધુ એટલે કે કુલ 2.5 વિઘા જમીનમાં છે પથરાયેલું
  • વડનું વૃક્ષ બારેમાસ રહે છે લીલુંછમ
Kantharpura Mahakali Vad
  • માન્યતા મુજબ આ વડના વૃક્ષનું આયુષ્ય છે 500 વર્ષ
  • આ વડના મુખ્ય થડમાં આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર
Kantharpura Mahakali Vad
  • અહીંની લોકવાયકા અનુસાર આ વડની નીચે આવેલી છે પુરાતન વાવ
  • હાલના સમયમાં આ વાવના એકપણ પુરાવા મળેલા નથી
  • નવરાત્રીના સમયમાં અહીં ભરાઈ છે લોકમેળો
Kantharpura Mahakali Vad
  • આજુ-બાજુના ગામના લોકો શ્રદ્ધાપૂર્વક આવીને કરે છે મહાકાળી માતાજીના દર્શન
  • આ વડ પર કાયમીપણે વાંદરાઓનું મોટું ટોળુ કરે છે વસવાટ
  • આશરે 50 થી પણ વધારે વાંદરાઓ પોતાના પરિવાર સાથે કરે છે વસવાટ
Kantharpura Mahakali Vad
  • 500 વર્ષ જુનું આ વડનું વૃક્ષ છે પક્ષીઓનુ રહેણાંક સ્થળ
  • સવાર થતાં જ સાંભળવા મળે છે પક્ષીઓનો કલરવ
  • વડના વૃક્ષની વિશાળતા આવનાર સૌને કરી દે છે મંત્રમુગ્ધ
  • અહીં મુલાકાતે આવતા જ દુરથી વિશાળ છત્રાકાર આકાર પડે છે નજરે
Kantharpura Mahakali Vad

કોઈપણ વ્યક્તિ વડને (Kantharpura Mahakali Vad) નુકશાન પહોંચાડવાની કે કાપવાની નથી કરતુ હિંમત

આ વડ દિવસે ને દિવસે જમીનમાં ચારેય દિશામાં આગળ ને આગળ વધતું જઈ રહ્યું છે. કંથારપુરા ગામના ખેડૂતોની જમીનના વીઘાનો ભાવ લાખોમાં છે. તેમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને કારણે લાખોની જમીન વડ માટે જતી કરે છે અને મંદિરને દાનમાં આપી દે છે. આ વડ જમીનમાં ફેલાતું જઈ રહ્યું છે એની પાછળ ધાર્મિક આસ્થા તો જવાબદાર છે પણ સાથે સ્થાનિકોનું એવું પણ માનવું છે કે જો કોઈ વ્યક્તિ વડને નુકસાન પહોંચાડે છે તો એ વ્યક્તિને પણ નુકશાન પહોંચે છે. આ કારણના લીધે કોઈપણ વ્યક્તિ વડને નુકશાન પહોંચાડવાની કે કાપવાની હિંમત કરતું નથી. આમ કોઈ આસ્થાના લીધે પોતાની જમીન મંદિરને દાનમાં આપી દે છે તો કોઈ નુકશાન થવાના ડરે વડને કાપતા નથી અને ખેતરમાં ફેલાવા દે છે. આ બંને કારણોના લીધે આજના સમયની વાત કરીએ તો આ વડ અડધા એકર કરતા પણ વધારે જમીનમાં ફેલાઈ ગયું છે.

Kantharpura Mahakali Vad

આ વિશાળ વડને કારણે કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામમાં વિકસ્યું છે પ્રવાસન

ગુજરાતના વટવૃક્ષમાં કબીરવડ પછી કંથારપુરાના વડની ગણતરી થાય છે. આ વડ પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ તો ધરાવે જ છે. પરંતુ આ વડને કારણે કંથારપુરા ગામમાં પ્રવાસન પણ વિકસ્યું છે જેના લીધે સ્થાનિકોને રોજગારી મળતી થઈ છે. વડની આજુ-બાજુ કુલ 25 કરતાં વધારે નાની-મોટી દુકાનોની સાથે પાથરણાં આવેલા છે, આ દુકાનો અને પાથરણાંના કારણે 35 થી 40 પરિવારોનું ગુજરાન ચાલે છે. આ પરિવારો દ્વારા પૂજાનો સામાન, બાળકો માટે રમકડાંઓ અને ખાણી-પીણીની વસ્તુઓ વહેંચીને પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે.

Kantharpura Mahakali Vad

આડા દિવસે તો મહાકાળી માતાજીના મંદિરમાં લોકો દર્શન માટે આવે જ છે. પરંતુ ખાસ કરીને પૂનમ તેમજ તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે અહીં આવતાં હોય છે. જયારે નવરાત્રીના સમયમાં યોજાતા મેળામાં પણ લોકોની ખાસ ભીડ જોવા મળે છે. આ સાથે ડીજીટલ યુગમાં ઈન્ટરનેટ અથવા તો કોઈ બીજા માધ્યમથી આવડા મોટા વડની વાત સાંભળીને લોકો કુતૂહલવશ થઈને આ વડને જોવા માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી કંથારપુરા ગામની મુલાકાતે આવે છે. આમ હાલમાં કંથારપુરા ગામ આ વડનાં કારણે પીકનીક સ્પોટ પણ બની ગયું છે.

મહાકાળી માતાજીના મંદિરમાં આવેલી છે માતાજીની 2 મૂર્તિ

અહીં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની બે મૂર્તિ છે. સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે એક મૂર્તિ સ્વયંભુ પ્રગટ થયેલી છે જયારે બીજી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી. અહીંયા રોજે સવાર-સાંજ માતાજીની આરતી થાય છે. જેમાં માતાજીના બંને મૂર્તિની વિશેષરૂપે પુજા કરવામાં આવે છે. જેમાં માતાજીનો શણગાર કરવામાં આવે છે. મંદિરમાં ઘીનો એક અખંડ દીવ પ્રગટે છે, મહાકાળી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

Kantharpura Mahakali Vad

વડની જાણવા જેવી માહિતી

વડના વૃક્ષને ભારતનાં “રાષ્ટ્રીય વૃક્ષ” તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. વડનું વૃક્ષ ઘટાદાર અને મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. વર્ષો પુરાણા અને મોટા વડની ડાળીઓમાંથી નવાં મૂળ ફુટે છે જેને “વડવાઇ” કહેવાય છે. આ વડવાઇઓ સમય જતાં વધતી જાય છે અને ત્યારબાદ જમીનમાં રોપાઈ જાય છે. આ રીતે વૃક્ષનો વિસ્તાર વધતો જાય છે અને વૃક્ષ ફેલાતું જાય છે. ઘણીવાર એવું બને છે કે આવા ઘનઘોર વૃક્ષના મૂળ થડની માહિતી જ નથી મળી શકતી. આવું જ એક વૃક્ષ ગુજરાતના નર્મદા કિનારે આવેલું કબીરવડ છે. જે અંદાજે 300 વર્ષથી વધારે જુનું છે. એવું કહેવાય છે આ વૃક્ષ એટલું મોટું છે કે એના નીચે 5000 કરતા વધારે લોકો આરામ કરી શકે છે.

Read Also

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

Kantharpura Mahakali Vad

વડનાં આ વૃક્ષ પર લાલ રંગનાં નાનાં-નાનાં ફળ આવે છે. જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. વડનાં આ ફળને “ટેટા” કહેવાય છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં આ ફળ જુદાં-જુદાં નામથી ઓળખાય છે. આ સાથે વડનું વૃક્ષ પૂજનીય માનવામાં આવે છે. કુમારિકાઓ વડ સાવિત્રીના વ્રત વખતે વડના વૃક્ષની પૂજા કરે છે. તેમજ વડનું વૃક્ષ કુદરતી ઓક્સિજનની ખાણ માનવામાં આવે છે. આ ઉપરાંત વડનું વૃક્ષ આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. ઘણા બધા રોગોમાં વડનું વૃક્ષ એક ઔષધિ તરીકે પણ કામ કરે છે.

  • મહાકાળી વડ, કંથારપુરા (કંથારપુરા) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 51 km.) – Rs.1500-2000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1000 – 1500
  • જમવાનો ખર્ચ – Rs.800 – 1200
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.500 – 1000
  • કુલ – આશરે 3,300 થી 5,700/—
  • અંતર (Distance)
  • સુરતથી – 302 km.
  • વડોદરાથી – 148 km.
  • અમદાવાદથી – 51 km.
  • રાજકોટથી – 266 km.
  • કચ્છ – 424 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કંથારપુરા બસ સ્ટોપ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ

ગુજરાતની આ ગુફા છે અનોખી, ગુફામાં પ્રવેશતા જ થશે કુદરતી ACનો અહેસાસ સાથે જોવા મળશે સોનાની માટી

Posted By admin July 4, 2021
Jambuvanti Caves

પોરબંદરના બરડા ડુંગરની ગોદમાં અનેક પ્રવાસન સ્થળો વિકાસ પામ્યા છે. બરડા ડુંગરમાં રાણાવાવ નજીક આવેલી આ જાંબુવંતી ગુફા (Jambuvanti Caves) પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત છે. આ ગુફા શિવભક્તો, પ્રવાસીઓ તેમજ ઇતિહાસકારોને આકર્ષે છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ કુદરતી રીતે શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં… ગુફામાં ટપકતાં પાણીથી રચાતા અનેક સ્વયંભૂ શિવલિંગ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

Jambuvanti Caves
Jambuvanti Caves

જાંબુવત કોણ હતા?


પરશુરામ અને હનુમાનજી સિવાય રીંછરાજ જાંબુવત જ એક એવા દિવ્ય પુરુષ છે જે ભગવાન વિષ્ણુના બંને અવતાર એવા શ્રીરામ અને શ્રીકૃષ્ણના કાળમાં પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. કહેવાય છે કે ખુદ બ્રહ્માએ જાંબુવતને આ ધરતી પર મોકલ્યા હતા.

જાંબુવત અને ભગવાન શ્રીકૃષ્ણના યુદ્ધની કથા/ઈતિહાસ

ભાગવતપુરાણ અનુસાર યાદવોના આગેવાન સત્રજીતએ સૂર્યદેવની ઉપાસના કરીને સ્યમંતક નામની મણી પ્રાપ્ત કરી હતી. કહેવાય છે કે આ મણી રોજ 8 ભાર જેટલું સોનુ આપતી હતી. આથી સત્રજીતે તેને પૂજાસ્થાને મૂકી હતી. જેથી તેની સંપત્તિમાં વૃદ્ધિ થવા લાગી. શ્રીકૃષ્ણએ સત્રજીતને આ મણી ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે માન્યો નહી. ત્યારબાદ એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન પૂછ્યા વગર આ મણી લઈને શિકાર કરવા ગયો હતો. જ્યાં તે પોતે સિંહનો શિકાર બન્યો અને મણી પણ સિંહના પેટમાં પહોંચી. જો કે આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવતે કર્યો. આમ સ્યમંતક મણી જાંબુવતને મળી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણી ચોરવાનો ખોટો આરોપ લાગ્યો.

આથી ભગવાન શ્રીકૃષ્ણ એ મણીની શોધમાં નીકળતા મણી જાંબુવત પાસે હોવાની તેમને જાણકારી મળી, આમ જ્યારે શ્રીકૃષ્ણ મણી લેવા જાંબુવત પાસે પહોંચ્યા તો જાંબુવત ભગવાનને ઓળખી શક્યા નહિ અને તેમની વચ્ચે લગભગ 28 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ પણ છે. આ યુદ્ધના અંતિમ દિવસે જાંબુવતને આ વાતનો અહેસાસ થયો કે શ્રીકૃષ્ણ સ્વયં પ્રભુ શ્રીરામના જ અવતાર છે. આથી જાંબુવતએ હાર સ્વીકારીને યુદ્ધ અટકાવ્યું અને તેમના પુત્રી જાંબુવંતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે આ ગુફામાં (Jambuvanti Caves) કરાવ્યા. આમ આ ગુફાને જાંબુવંતીની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જાંબુવત સ્યમંતક મણી અને પુત્રી જાંબુવંતીને ભગવાનને અર્પણ કરતો ફોટો, સ્વયંભૂ જલધારા અને દક્ષિણાભિમુખ શંખ આ ગુફામાં હાલ દર્શનાર્થે રાખેલા છે.

Jambuvanti Caves
Daya Sankh

જાંબુવંતી ગુફા (Jambuvanti Caves) વિશે જાણવા જેવી બાબતો

  • ગુફા ચુનાનાં ખડકોમાં આવેલી હોવાથી ઉનાળાના ભયંકર તાપમાં પણ આ ગુફામાં રહે છે ઠંડક
  • ગુફાનું મુખ કૂવા કે વાવ જેટલું નાનું છે, તેનો પ્રવેશદ્વાર પણ સાંકડો છે, પરંતુ બહારથી સાંકડી લાગતી આ ગુફા અંદરથી છે લાંબી અને પહોળી
Jambuvanti Caves
  • ગુફાની અંદર આવેલી માટીને પ્રકાશમાં જોવામાં આવે તો તેમાં સોનાની જેમ ચમકતા અબરખનું મિશ્રણ મળે છે જોવા
  • સોનાની જેમ ચમકતી હોવાને કારણે આ માટીને કહેવાય છે “સોનાની માટી”
  • સોના જેવી ચમકતી માટી જોઇને ઘણાં લોકો મૂઠી ભરીને એ માટી પોતાની સાથે લઇ જાય છે પણ આવું કરવાથી ઘરમાં નુકનાશ થાય છે એવી ગુફામાં લગાડવામાં આવી છે નોટીસ
  • અહીં લોકમાન્યતા પ્રમાણે કહેવાય છે કે ગુફામાં મહંતના આશીર્વાદથી માનસિક રીતે બિમાર લોકો માટે જો આ જગ્યાની માનતા માનવામાં આવે તો દૂર થાય છે બિમારી
  • ત્યાંના મહંતને ઘડીયાળ અતિપ્રિય હોવાથી માનતા પૂરી કરવા માટે લોકો ચડાવે છે ઘડિયાળ
  • ત્યાંની કોઈ ઘડિયાળ પસંદ આવી જાય તો તેમાં લાગેલા પ્રાઈઝ ટેગ જોઈને ખરીદી શકો છો ઘડિયાળ
  • અન્ય એક માન્યતા અનુસાર આ ભોંયરાનો એક માર્ગ કૃષ્ણનગરી દ્વારકા અને બીજો માર્ગ ખૂલે છે જૂનાગઢ તરફ
  • ગુફામાં પ્રવેશતા લોકોને અંધારું ન લાગે તે માટે અહીં લાઇટની પણ કરવામાં આવી છે વ્યવસ્થા
Jambuvanti Caves

સ્વયંભુ શિવલિંગોની રચના કેવી રીતે થઇ?

ચુનાનાં ખડકમાં ગુફા આવેલી હોવાથી તેની છતમાંથી હજારો વર્ષથી સતત પાણી ટપકતું હોવાથી શિવલિંગોનું સર્જન થાય છે. આ પ્રકારના ચુનાનાં પત્થર જાંબુવંતીની ગુફા (Jambuvanti Caves) ઉપરાંત બરડા ડુંગરમાં આલોચ,ગોપ અને કેલિફોર્નિયામાં જોવા મળે છે. આમ આ ગુફા હજારો વર્ષ જૂની હોવાના પુરાવા આ શિવલિંગો આપે છે. શિવલિંગો બનવા પાછળનું રહસ્ય ચુનાનાં ખડક છે પણ તેમ છતાં લોકો તેને ચમત્કાર માને છે અને લાખોની સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે.

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતી અને લુપ્ત થતી એવી નૃત્ય કળા કે, જેમાં પુરુષો ધારણ કરે છે માતાજી જેવા જ વસ્ત્રો

  • જાંબુવંતી ગુફા (રાણાવાવ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા-જવા સાથે (અમદાવાદથી 386 km.) – Rs.9000 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3000
  • જમવાનો ખર્ચ – Rs.1800 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 13,800 થી 18,500/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 616 km.
  • વડોદરાથી – 434 km.
  • અમદાવાદથી – 386 km.
  • રાજકોટથી – 173 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – રાણાવાવ બસસ્ટોપ, રાણાવાવ રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ

વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી

જાણીતી હોટલો –

આલેખન – રાધિકા મહેતા

આ છે કચ્છની એકમાત્ર એવી જગ્યા કે જ્યાંથી જોવા મળે છે કચ્છના રણનો પેનોરેમિક વ્યુ

Posted By admin May 29, 2021
Kalo Dungar

જ્યારે પણ ફરવાની વાત કરવામાં આવે ત્યારે કચ્છને તો ભૂલી જ ન શકાય. કચ્છમાં ફરવા લાયક એટલી બધી જગ્યા આવેલી છે કે કદાચ લિસ્ટ બનાવીને ફરવા નિકળીએ તો 3-4 દિવસ પણ ઓછા પડે ત્યારે traveltoculture.com દ્વારા તમને કચ્છ સહિત સમગ્ર ગુજરાતની ફરવા લાયક જગ્યાની સાથે બીજી ઘણી બધી બાબતોથી માહિતગાર કરવામાં આવશે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta

અત્યારે જે જગ્યાની વાત કરવામાં આવે છે એ કદાચ કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ (360 અંશનો દેખાવ) જોવા મળે છે. જેનું નામ છે કાળો ડુંગર (kalo dungar)…આ કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર માનવામાં આવે છે અર્થાત છે. 458 મીટરની ઉંચાઈ ધરાવતો કાળો ડુંગર ભુજથી 97 કિમી અને કચ્છથી 40 કિમી દૂર આવેલો છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે.

Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Kalo Dungar
Courtesy : www.gujarattourism.com

કાળો ડુંગર (kalo dungar) સાથે જોડાયેલી દંતકથા

આ કાળો ડુંગર (kalo dungar) 400 વર્ષ જૂનાં દત્તાત્રેય ભગવાનના મંદિર માટે જાણીતો છે. પ્રાચીન સમયમાં આવા ડુંગરો યોગીઓ, તપસ્વીઓ ને તપ કરવા માટે આકર્ષતા હતા.

Kalo Dungar
Courtesy : www.facebook.com/KaloDungar

આ મંદિર સાથે દંતકથા પણ જોડાયેલી છે. આ દંતકથા મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે ભ્રમણ કરતાં-કરતાં આ ડુંગર પર આવ્યા અને અહીં તપ કરતા હતા ત્યારે એક ભૂખ્યું શિયાળ તેમને મરેલા સમજીને તેમના શરીરને ખાવા માટે તેમની પાસે આવ્યું, પરંતુ તેમની પાસે આવતાં જ તેની મતિ ફરી ગઈ, તે પાછું ફર્યું. એ જ સમયે ગુરુ દત્તાત્રેયે આંખો ખોલી, એમણે જોયું કે ખ્યાલ ભૂખ્યું શિયાળ પાછું જઈ રહ્યું છે. એ જોઈને તેમણે ખૂબ જ દુ:ખ થયું પરંતુ ગુરુ દત્તાત્રેય પાસે એ શિયાળને ખવડાવવા માટે કશું જ હતું નહીં. જેથી તેમણે પોતાના શરીરનાં અંગોના ટુકડા કરીને ‘લે અંગ’, ‘લે અંગ’ કહીને શિયાળને બોલાવીને ખવડાવ્યું . આવું કરતાં ચમત્કારિક રીતે ગુરુ દત્તાત્રેયના અંગો પાછાં હતાં તેવા જ થઈ ગયાં, તેવી દંતકથા છે.

અહીં આવેલું દત્તાત્રેયનું મંદિર 400 વર્ષ જૂનું છે. એવું કહેવામાં આવે છે કે પહેલાં કાળા ડુંગર (kalo dungar) પર નાનકડી ડેરી હતી. ભૂકંપમાં તે નષ્ટ થઈ જતાં ત્યાં નવું વિશાળ મંદિર, અન્નક્ષેત્ર, સમાધિસ્થળ ઊભાં કરવામાં આવ્યા છે. છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરના પૂજારી દ્વારા રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને એક ઓટલા પર ધરાવવામાં આવે છે. જે ખાઈને શિયાળો ફરી કુદરતના ખોળામાં ખોવાઈ જાય છે.

શા માટે શિયાળને રાંધેલા ભાતનો પ્રસાદ ધરાવતી વખતે ‘લોંગ’, ‘લોંગ’ એવું બોલવામાં આવે છે?

જે ઓટલા પર શિયાળોને પ્રસાદ ધરાવવામાં આવે છે એ ઓટલાને લોંગ પ્રસાદ ઓટલો નામ આપવામાં આવ્યું છે. આ લોંગ શબ્દ ભગવાન દત્તાત્રેયએ પોતાના શરીરના અંગ શિયાળને ખાવા માટે આપ્યા હતા ત્યારે એમના દ્વારા બોલવામાં આવેલા ‘લે અંગ’ શબ્દ છે જે સદીઓ પછી અપભ્રંશ થઈને ‘લોંગ’ બની ગયો.

અત્યારે જોકે પૂજારીઓ, આવા શબ્દોથી શિયાળોને બોલાવતા નથી, પરંતુ ઘંટનો અવાજ કરીને શિયાળને આમંત્રણ આપે છે,આજે પણ રોજ શિયાળ પ્રસાદ ખાવા આવે છે.

અહીંયા પ્રવાસી માટે ઉપર અન્નક્ષેત્રની પણ સગવડતા છે. અહિયાં કાળા ડુંગર પર 400 વર્ષ જુના દત્તાત્રેય મંદિરની સાથે કુદરતી સૌંદર્યનો સાગર જોવા મળશે. ચોમાસા બાદ આ જગ્યાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ઉપરાંત માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવે છે.

Courtesy : www.gujarattourism.com

કાળા ડુંગર વિષે જાણવા જેવી અન્ય બાબત

ત્રણેય દિશામાં વિસ્તરેલું મોટું રણ અહીથી જોઈ શકશો. ત્યાં સુરખાબ (ફ્લેમિંગો)પક્ષીઓ હજારોની સંખ્યામાં બચ્ચા ઉછેરે છે. એવું કહેવામાં આવે છે કે કચ્છની જમીન કરોડો વર્ષ પહેલા સમુદ્રના તળીએ હતી. અહીંના ખડકો પર શોધશો તો છીપલાના અશ્મી અવશેષો મળશે.

Courtesy : www.facebook.com/KaloDungar

આ ડુંગરને કાળો ડુંગર શા માટે કહેવામાં આવે છે?

આ ડુંગરમાં જે ચૂનાના પથ્થરો છે તે સંપૂર્ણ કાળા રંગના છે. તેમ જ અહીં મોટા પ્રમાણમાં કાળા રંગના મેગ્માજન્ય ખડકો પણ મળી આવે છે. કુરન ગામથી નીર વાંઢ નામના નાના ગામ સુધી આવા ખડકો પથરાયેલા છે. આ કાળા પથ્થરો ગેબ્રો, લેમ્બોફાયર, બેસોલ્ટ તથા ડાયોરાઇટના નામે ઓળખાય છે. આ કાળા રંગના ખડકોના કારણે આ ડુંગરને કાળા ડુંગરના (kalo dungar) નામે ઓળખવામાં આવે છે.

કાળા ડુંગર જતાં ધ્યાનમાં રાખવા જેવી બાબત

કાળા ડુંગરની ટોચ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પહોંચવું અઘરું છે. આ માટે એકમાત્ર બસ વિકેન્ડમાં ખાવડા સુધી આવે છે. આ બસ સાંજે ખાવડા પહોંચાડે છે અને વહેલી સવારે ખાવડાથી પાછી ફરે છે. તમે ખાવડાથી જીપ ભાડે લઈ શકો છો. અહીં વહેલી સવારે કે મોડી સાંજે મુલાકાત લેવી સલાહભરી છે. જો તમે અહી રાતવાસો કરવા માંગતા હોવ તો કાળા ડુંગર મંદિરની બાજુમાં એક ધર્મશાળા છે ત્યાં તમે રોકાઈ શકો છો.

  • કાળા ડુંગર (kalo dungar) પર એક ગજબ ઘટના અનુભવાય છે.જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
  • આવું થવાનું કારણ મેગ્નેટિક ફિલ્ડને માનવામાં આવે છે.
  • નેચર લવર માટે આ એક ખુબ જ અદભુત જગ્યા છે આ ઊંચાઈ પર પહોંચીને મનને જે શાંતિ અને આંખોને જે ઠંડક મળશે એ જરૂર અનુભવવા જેવી છે.
  • અહીનું સનસેટ વ્યૂ, પ્રકૃતિ અને વાતાવરણ તમારી મુલાકાતને એક યાદગાર પળ બનાવશે.
  • કાળા ડુંગર પર ગયા જ હોય તો પછી વિશ્વના સૌથી મોટા સફેદ રણ પર જવાનું કેમ ભૂલી શકાય ત્યાં જઈને જાણે ચન્દ્ર પર પહોંચી ગયા હોય એવું લાગશે.
Courtesy : Gujarat Tourist Guide – fb/insta
Courtesy : www.gujarattourism.com

Read This Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

  • કાળો ડુંગર (કચ્છ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) – Rs.9000 – 13,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2200 – 5000
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 2000-2500
  • કુલ – આશરે 14000 થી 20000/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 678 km.
  • વડોદરાથી – 526 km.
  • અમદાવાદથી – 417 km.
  • રાજકોટથી – 317 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – ખાવડા બસ સ્ટોપ

ખાવાની વિશેષતા – કચ્છની ડબર રોટી એટલે કે દાબેલી, કચ્છી કડક, થાબડી , થાબડી પેંડા, ખાવડાની મીઠાઈઓ

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

sudamapuri porbandar
sudamapuri porbandar

સુદામા મંદિર અને પોરબંદર (sudamapuri porbandar)

સૌરાષ્ટ્રના પશ્ચિમમાં દરિયા કિનારે આવેલું શહેર પોરબંદર એટલે મહાત્મા ગાંધી અને સુદામાની નગરી (sudamapuri porbandar). પોરબંદરની ત્રણ જગ્યા પ્રખ્યાત છે. કીર્તિમંદિર, સુદામા મંદિર અને ચોપાટી. સત્ય, અહિંસા અને પ્રેમને અનુસરતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને શ્રીકૃષ્ણના ભાગના શ્રાપિત ચણા ખાઈને દરિદ્ર બ્રાહ્મણીનો શ્રાપ સ્વયં ગ્રહણ કરી સાચી મિત્રતા નિભાવતા સુદામાની જન્મ અને કર્મભૂમિ છે. આથી જ પોરબંદરને “સુદામાપુરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કંદ- પુરાણમાં પણ સુદામાપુરીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

sudamapuri porbandar

સુદામાનો જન્મ અને મંદિરનું નિર્માણ

પોષ સુદ આઠમના દિવસે પોરબંદરની અસ્માવતી નદી પાસે સોમશર્મા નામના ભૃગુવંશી બ્રાહ્મણને ત્યાં સુદામાનો જન્મ થયેલો. નાનપણથી જ સુદામાને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યા ત્યાં શ્રીકૃષ્ણ તેમના પરમમિત્ર બન્યા.

sudamapuri porbandar

પોરબંદરના સુદામા ચોકમાં વિશ્વનું એકમાત્ર સુદામાનુ મંદીર આવેલું છે. વર્તમાન સમયમાં પણ નિઃસ્વાર્થ મિત્રતાના પ્રતિક સમાન આ મંદિર આશરે ૧૩મી સદીથી અસ્તિત્વ ધરાવે છે. ૧૯મી સદીમાં પોરબંદરના રાજા ભાવસિંહજીએ આ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રની નાટક મંડળીએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. નીજ મંદિરમાં સુદામા તેમના ધર્મપત્ની સુશીલાજી અને રાધા કૃષ્ણ સાથે બિરાજમાન છે. દેશના વિવિધ સ્થાનેથી ભાવિકો આ મંદિરની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે.

સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌર્યાસીની પરિક્રમા અને તેની સાથે જોડાયેલી વાત

આ લોકનું સુખ, બ્રહ્માંડનો વૈભવ તેમજ પરલોકના સુખ સમાન મોક્ષ, માત્ર મનુષ્ય અવતાર ધારણ કરીને જ મેળવી શકાય છે. સુદામા મંદિરના પ્રાંગણમાં આવેલ લખચૌરાસીના ફેરાની પરિક્રમા કરીને ચૌરાસી લાખ યોનિના ફેરામાંથી મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થવાની માન્યતા પણ છે. રાજસ્થાની લોકોમાં લગ્નપૂર્વે વરકન્યાને સુદામાના દર્શને લઈ આવવાનો રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત એક લોકવાયકા પ્રમાણે ચારધામની યાત્રા કરીને સુદામાના દર્શન કરવા જ જોઈએ તો જ યાત્રા પૂરી થઈ હોવાનું માનવામાં આવે છે.

sudamapuri porbandar

સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને કૃષ્ણ પાસે દ્વારકા સહાય મેળવવા મોકલ્યા

પૌરાણિક કથા અનુસાર સુદામાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પત્નીએ તેમને સોનેરી દ્વારકાનગરીના રાજા અને તેમના મિત્ર કૃષ્ણ પાસે સહાય મેળવવા મોકલ્યા હતા. સાથે ભેટ સ્વરૂપે તાંદુલ( સાળ કે ડાંગર કમોદના ફોલેલા ચોખા) આપ્યા હતા. સુદામા જ્યારે તેમના મિત્રને મળવા દ્વારકા પહોંચ્યા ત્યારબાદ જે ઘટના બની એનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભેટમાં મળેલા તાંદુલ ભગવાન શ્રીકૃષ્ણએ પહેલી મુઠ્ઠી ખાતા સુદામાની દરિદ્રતા દૂર કરી, બીજી મુઠ્ઠી ખાઈને સમૃદ્ધિ આપી અને ત્રીજી મુઠ્ઠી ખાતા રૂકમનીજીએ ભગવાનને અટકાવ્યા. સુદામાના ભંડાર ભગવાને ભર્યા એ જ રીતે ભગવાન ભક્તોના ભંડાર ભરે તેવા ભાવથી વર્તમાન સમયમાં પણ ચોખામાંથી બનેલા પોહાનો પ્રસાદ મંદિર પરિસર દ્વારા આપવામાં આવે છે.

સુદામા મંદિરનું બાંધકામ સફેદ આરસપહાણથી કરવામાં આવ્યું છે

સફેદ આરસપહાણના પથ્થરોની સુશોભિત આ મંદિરમાં ઘણા બધા કોતરણી કરેલા સ્તંભો છે. આ સ્તંભ મંદિરની ચારે દિશામાં ગોઠવાયેલા છે. આ મંદિરની ટોચને અદ્ભુત સ્થાપત્યકળાથી શણગારવામાં આવ્યું છે. મંદિરની ટોચ અને જમીનને આ કોતરણી કરેલા સ્થંભો જોડે છે. સરળ પ્રકારનું બાંધકામ અને સુંદર આર્કીટેક્ચર ધરાવતું આ મંદિર શ્રીકૃષ્ણના મિત્ર સુદામાને સમર્પિત છે. મંદિર પરિસરમાં સુંદર બગીચો, સુદામા કુંડ અને લખચૌરાસીના ફેરા પણ આવેલા છે.

sudamapuri porbandar

આજના સમયમાં મિત્રતામાં પણ ક્યાંકને ક્યાંક સ્વાર્થ સાધવામાં આવતો હોય છે ત્યારે કોઈપણ પ્રકારના ભેદભાવ વગરની નિઃસ્વાર્થ મિત્રતાના ઉમદા ઉદાહરણ સમાન આ મંદિરની મુલાકાત એકવાર તો અવશ્ય લેવી જ જોઈએ.

આ પણ વાંચો બાળ શનિદેવનું એક માત્ર મંદિર : ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ શનિદેવની પૂજા કરી શકે છે

  • સુદામા મંદિર (પોરબંદર) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 424 km.) – Rs.8000 – 10,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3500
  • જમવાનો ખર્ચ – Rs.1500 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 12,500 થી 18,500/—

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 631 km.
  • વડોદરાથી – 471 km.
  • અમદાવાદથી – 397 km.
  • રાજકોટથી – 183 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – પોરબંદર બસ સ્ટોપ, પોરબંદર રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ

વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી

જાણીતી હોટલો

આલેખન – રાધિકા મહેતા

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

Shanidev Hathla
Hathla Shanidev mandir

હાથલા ગામમાં આવેલુ છે શનિદેવનું જન્મસ્થળ (Hathla shani dev mandir)

ગુજરાતના જામનગર ખાતે આવેલા ભાણવડ તાલુકાના હાથલા ગામમાં ઈતિહાસની દ્રષ્ટિએ સૌથી પ્રાચીન શનિદેવનું મંદિર આવેલું છે. હાથલા ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર શનિદેવના જન્મસ્થળ તરીકે જાણીતું છે. આ ગામનો ઈતિહાસ ખૂબ જ પુરાણો છે. બરડા ડુંગરમાં આવેલ હાથલા પીપળાના વન એટલે કે, પિપ્લવન તરીકે ઓળખાતુ હતુ.

અહિયાં હાથલામાં શનિદેવનું બાળસ્વરૂપ બિરાજમાન છે. જન્મસ્થળ હાથલામાં શનિદેવ હાથી પર બિરાજે છે. હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી પર બિરાજમાન નથી. અહીંયા હાથલામાં શનિદેવની સાથે તેમના પત્ની મનાતા અઢી વર્ષના પનોતી અને સાડા સાતી કહેવાતા પનોતીની પણ મૂર્તિ છે. આ મંદિર પનોતી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત કરવામાં આવ્યું છે.

હાથલા ગામનો ઈતિહાસ અને મંદિરના પૂજારીઓના સ્મારક

આજથી વર્ષો પહેલા મહાભારતના સમયમાં મૃગદલ નામના ઋષિ થઈ ગયા જેમણે માનવકલ્યાણના હેતુથી એ ગામમાં તપસ્યા કરેલી કે, જે લોકોને શનિની પનોતી આવે અને માણસ બહુ દુ:ખી અને હેરાન થાય છે એમને શાંતિ મળે. એમની આ તપસ્યાથી શનિ મહારાજ પ્રસન્ન થયા અને હાથીની સવારી પર આવીને દર્શન આપેલા અને તેના કારણે હંસસ્થલ થયું. સમય જતાં આ ગામનું નામ હાથલા પડયું.

શનિદેવના મંદિરની બાજુમાં આ જ મંદિરના ગોસ્વામી પરિવારના 59 પૂજારીઓની સમાધિ આવેલી છે. આ ઉપરાંત શનિકુંડની સામે પૂર્વમાં પણ 3 સમાધિ આવેલી છે. જેના વિશે પૂછતાં મંદિરના પૂજારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે એ સમાધિ તેમના 500 વર્ષ પહેલા થઈ ગયેલા વડવાની છે.જેમણે અહિયાં જીવતા જ સમાધિ લઈ લીધી હતી. આ સમાધિની બાજુમાં એમના 2 શિષ્યોની પણ સમાધિ આવેલી છે.

HATHLA PUJARI SMARAK
HATHLA
HATHLA

આખા ભારતમાં આવેલા છે શનિદેવના ફક્ત 2 જ મંદિર

ભારતમાં શનિદેવના 2 સૌથી મોટા મંદિર આવેલા છે. આ 2 મંદિરો પૈકી એક મહારાષ્ટ્રના શિંગડાપુરમાં અને બીજું ગુજરાતના હાથલામાં આવેલું છે. ગુજરાતનાં હાથલામાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું જન્મસ્થળ અને મહારાષ્ટ્રના શિંગડાપુરમાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું કર્મસ્થળ માનવામાં આવે છે. હાથલામાં શનિદેવની બાળ સ્વરૂપ બિરાજમાન હોવાથી આખા ભારત વર્ષમાં એક માત્ર અહીં સ્ત્રીઓ શનિદેવના પ્રત્યક્ષ દર્શન કરી શકે છે. આ મંદિરમાં શનિદેવ એમના પરિવાર સાથે બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ બાળ સ્વરૂપને કારણે જ અહીં શનિદેવને સિંદુર ચઢે છે. જેમની પૂજાથી પનોતીનો પ્રકોપ હળવો થાય છે.

BAL SHANIDEV

શનિદેવ અને તેમના મંદિરનું મહત્વ

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ લોકોના કર્મ પ્રમાણે તેઓનો સજા આપીને ન્યાય કરે છે. શનિદેવને રિઝવવા સપ્તાહના શનિવારને શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે જ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. એ જ રીતે મંગળવાર અને અમાસના દિવસે પણ અહીં દર્શનનું અનેરૂં મહત્વ રહેલું છે. આ ઉપરાંત શનિજયંતીના દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો માને છે કે, જો શનિદેવ રિઝે તો તમામ દુ:ખ દુર થઈ શકે છે. આ જ કારણે સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શન કરીને પનોતીમાંથી મુક્ત થવા હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે આવે છે.

SHANIDEV TEMPLE HATHLA

શનિદેવના આ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. જેવી કે, મંદિરના શનિકુંડમાં સ્નાન કરીને અહીં જ વસ્ત્રો અને બૂટ-ચંપલ મૂકી જવાથી પનોતી ઉતરી જશે. આવી માન્યતાઓમાં લોકો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે એટલા માટે મંદિરના દર્શને આવતા લોકો પોતાના વસ્ત્રો અને બૂટ-ચંપલને પનોતી માનીને અહી જ ઉતારી જાય છે અને શનિ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

USEFUL ARTICLEગુજરાતનાં કચ્છમાં આવેલી છે અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક જેવી જ જગ્યા

  • શનિદેવ મંદિર (હાથલા) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 424 km.) – Rs.8000 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 3500
  • જમવાનો ખર્ચ – Rs.1800 – 2800
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 12,800 થી 19,000/-

આ ખર્ચ એક ફેમિલી પર્સનલ કાર બુક કરીને જાય એને ધ્યાનમાં લઈને ગણવામાં આવેલ છે. જો તમે પોતાની કાર લઈને અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને જશો તો સસ્તામાં જ પાછા ઘરે આરામથી પહોંચી જશો.

  • અંતર (Distance)
  • સુરતથી – 658 km.
  • વડોદરાથી – 474 km.
  • અમદાવાદથી – 424 km.
  • રાજકોટથી – 187 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – પોરબંદર બસ સ્ટોપ, ભાણવડ બસસ્ટોપ, ભાણવડ રેલવે સ્ટેશન, પોરબંદર એરપોર્ટ અને જામનગર એરપોર્ટ

વિશેષ વાનગી – પોરબંદરની ખાજલી