રથયાત્રા :શા માટે અમદાવાદની રથયાત્રાનું છે અનેરું મહત્વ, જાણો ભગવાનના રથનો મહિમા…

Posted By admin July 13, 2021
Jagannath Rath Yatra Ahmedabad

કોઈપણ ધર્મમાં ભગવાનને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. એટલે જ ભક્તો ભગવાનના દર્શનાર્થે જતા હોય છે, પણ અષાઢી બીજ એક એવો દિવસ છે કે જ્યારે ખુદ જગતનો નાથ ભકતોને દર્શન આપવા સામેથી તેમની પાસે જાય છે એટલે કે નગરચર્યા કરે છે. ઓડિશાના જગન્નાથપુરીની સાથે-સાથે અષાઢી બીજની અમદાવાદની રથયાત્રાનું પણ આગવુ મહત્વ છે. ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા (Jagannath Rath Yatra Ahmedabad) પુરી પછીની બીજા નંબરની સૌથી મોટી અને મહત્વની રથયાત્રા છે. અમદાવાદનું આ જગન્નાથ મંદિર વર્તમાન સમયમાં સમૃદ્ધ મંદિરોમાં સ્થાન પામે છે.

Jagannath Rath Yatra Puri
puri.nic.in
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

રથયાત્રાનું મહત્ત્વ (Jagannath Rath Yatra Ahmedabad)

મનુષ્યના શરીરની સરખામણી રથ સાથે કરવામાં આવે છે. આપણા રથરૂપી શરીરમાં આત્મારૂપી ભગવાન બિરાજમાન હોય છે. આમ રથયાત્રા શરીર અને આત્માના કલ્યાણ તરફ સંકેત કરે છે. આજ કારણના લીધે લોકો પ્રભુનો રથ ખેંચીને ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે રથ ખેંચવાથી મનની મનોકામના પૂરી થાય છે. આ સાથે ભગવાનને નજીકથી નિહાળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.

Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • રથયાત્રામાં ભગવાન ગણેશના પ્રતિક સમાન ગજરાજ સૌપ્રથમ જોડાય છે.
  • ગજરાજનો સુંદર શણગાર કરીને તેમનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • રથમાં બિરાજમાન પ્રભુ જગન્નાથના સૌ પ્રથમ દર્શન ગજરાજ કરે છે આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થાય છે.
  • રથ તૈયાર થયા બાદ તેની પૂજા કરવા માટે પુરીમાં ગજપતિ રાજાની પાલકી આવે છે.
  • જે રથની વિધિવત પૂજા કરે છે અને સોનાના ઝાડૂથી મંડપ અને રસ્તાને સાફ કરે છે.
  • આ પૂજા પ્રતિષ્ઠા “છેરા પહેરા” અથવા “પહિંદ વિધિ” તરીકે ઓળખવામાં આવે છે.
  • અમદાવાદમાં રથયાત્રમાં 1990ના વર્ષથી પહિંદ વિધિ થાય છે, જે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • પ્રભુ જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મામાના ઘરે જાય છે. જ્યાં તેઓ ખૂબ જાંબુ અને કેરી ખાય છે. જેથી ભગવાનને આંખો આવે છે અને આંખો આવવાના કારણે તેમને મગ ધરવામાં આવે છે.
  • રથયાત્રામાં પણ પ્રસાદ તરીકે મગ આપવામાં આવે છે, કારણકે રથયાત્રા આશરે 22 કિમી જેટલું લાંબી પગપાળા યાત્રા છે આથી મગ શક્તિવર્ધક હોવાથી મગના પ્રસાદથી શ્રદ્ધાળુઓને થાક લાગતો નથી.

રથનો મહિમા (Jagannath Rath Yatra Ahmedabad)

  • રથયાત્રામાં ત્રણ રથ હોય છે.
  • જેમાં સૌથી આગળ તાલવનનાં દેવતા દ્વારા આપેલ રથ “તાલધ્વજ” પર શ્રી બલરામ, તેમની પાછળ “પદ્મધ્વજ” રથ પર બહેન સુભદ્રા અને સૌથી પાછળ ઇન્દ્ર દ્વારા આપેલ રથ “નંદીઘોષ” પર ભગવાન જગન્નાથ બિરાજે છે.
  • પ્રભુ જગન્નાથનો રથ, બલરામ અને સુભદ્રાના રથથી મોટો હોય છે.
  • નાળિયેરનું લાકડું હળવું હોવાથી તેમાંથી આ રથ બનાવવામાં આવે છે.
  • ભગવાન જગન્નાથના રથનો લાલ અને પીળો કલરનો ઉપરાંત બાકી રથોની સરખામણીએ વિશેષ આકારનો હોય છે.
  • રથની ખાસિયત એ છે કે રથમાં એકપણ ચૂક કે કાંટાનો પ્રયોગ કરવામાં આવતો નથી.
  • માત્ર એટલું જ નહિ પણ આ રથ બનાવવા માટે કોઈ ધાતુનો પણ ઉપયોગમાં કરવામાં આવતો નથી.
  • રથના લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસે થાય છે.
  • રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે.
  • દર વર્ષે રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવે છે.
  • બલરામનો રથ 43 ફૂટ ઉંચો અને તેમાં 14 પૈડા હોય છે.
  • તેને લાલ, લીલા અને આસમાની રંગથી સજાવવામાં આવે છે.
  • આ રથની ધજાને “ઉનાની” કહેવાય છે.
  • જે દોરડાથી તેને ખેંચવામાં આવે છે તેને વાસુકીનાગ કહેવાય છે.
  • બહેન સુભદ્રાનો રથ 42 ફૂટ ઉંચો અને તેમાં 12 પૈડા હોય છે.
  • લાલ અને કાળા રંગથી આ રથને શણગારવામાં આવે છે.
  • તેમાં “નંદ્વિકા” નામની ધજા લહેરાય છે.
  • આ રથને ખેંચવામાં આવતા દોરડાને સ્વર્ણચુડા નાગ કહેવાય છે.
  • પ્રભુ જગન્નાથનો રથ 45 ફૂટ ઉંચો અને તેમાં 16 પૈડા હોય છે જેનો વ્યાસ 7 ફૂટનો હોય છે.
  • રથને લાલ અને પીલા રંગથી સજાવવામાં આવે છે.
  • રથની ધજાને “ત્રૈલોક્યમોહની” કહે છે અને જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તેને શંખચુડા કહેવાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

ભગવાનની અર્ધનિર્મિત મૂર્તિ અંગેની માહિતી

ધ્યાનથી જોઈએ તો આ ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ અને મૂર્તિનો ઉપરનો ભાગ અધૂરો દેખાય છે. એક કથા અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ન નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક દિવસ રાજાને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવીને મંદિર સ્થાપવાનો વિચાર આવે છે. આ વિચાર પરિપૂર્ણ કરવા માટે એવું કહેવાય છે કે પ્રભુ જગન્નાથએ દેવતાઓના શિલ્પી તરીકે જાણીતા વિશ્વકર્માને રૂપ બદલીને રાજા પાસે મોકલ્યા હતા. તેમણે મૂર્તિ બનાવવા રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈએ બાધારૂપ ન બનવું. રાજાએ આ શરત સ્વીકારી, ઘણાં દિવસો સુધી કામ ચાલ્યું પણ અંતે રાજાની ધીરજ ખૂટતાં તેમને ઓરડાના દ્વાર ખોલી નાખ્યા જેથી વિશ્વકર્મા અલોપ થઈ ગયા, પરંતુ તેમના દ્વારા બનાવેલી અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. અંતે આજ મૂર્તિ મંદિરમાં સ્થાપીને મંદિર બનાવવામાં આવ્યું.

Jagannath Rath Yatra Puri
puri.nic.in
Jagannath Rath Yatra puri
odishatourism.gov.in

જગન્નાથપુરી મંદિરની જાણી-અજાણી માહિતી

  • ઓડિશા રાજ્યમાં આવેલું આ મંદિર આશરે 800 વર્ષ જૂનું છે.
  • મંદિરની ઊંચાઈ 214 ફૂટ તેમજ મંદિર આશરે 4 લાખ વર્ગફૂટનો વિસ્તાર ધરાવે છે. જેથી મંદિરની નજીક ઊભા રહીને તેનો ગુંબજ જોવો અસંભવ છે.
  • આ ગુંબજનો પડછાયો દિવસ દરમ્યાન જમીન પર પડતો નથી આથી કહી શકાય કે મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.
  • જગન્નાથ મંદિરને દરિયાએ 3 વખત ક્ષતિ પહોંચાડી હતી આથી પ્રભુ જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. પરંતુ હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા અને પાછળ દરિયો નગરમાં પ્રવેશ કરી જતો હતો. આથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. એટલા માટે ત્યાં આવેલું બેડી હનુમાનજીનું પ્રખ્યાત પ્રાચીન મંદિર છે.
  • આ મંદિરને સાઉન્ડ પ્રૂફ પણ કહી શકાય, કારણકે મંદિર દરિયાકાંઠાથી નજીક હોવા છતાં પણ મંદિરની અંદર મોજાનો અવાજ સંભળાતો નથી.
  • અહીં મંદિરમાં વિશ્વનું સૌથી મોટું ભોજનાલય છે.
  • અહીં ભક્તો માટે ભોજન તૈયાર કરવા માટે સાત વાસણ એક બીજાની ઉપર મૂકીને પ્રસાદ તૈયાર થાય છે.
  • જેમાં સૌથી ઉપર મુકેલા વાસણમાં પહેલાં પ્રસાદ તૈયાર થઈ જાય છે.
  • પુરી મંદિરની ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી રહે છે. તેમજ સુદર્શન ચક્ર પણ ખૂબ ચમત્કારિક છે.
  • આ સુદર્શન ચક્ર વિશે એવું કહેવાય છે કે તેને કોઈપણ દિશાથી જોતા તમને ચક્રનો ચહેરો તમારી તરફ છે એવું દેખાશે.
  • પુરી મંદિરમાં માત્ર ભારતીય હિન્દુઓને જ દર્શનાર્થે પ્રવેશ મળે છે. બાકીના લોકો માટે પ્રતિબંધ છે.
  • અહીં મંદિરના શિખર પર ક્યારેય કોઈ પક્ષી બેસેલું જોવા મળતું નથી તેમજ મંદિર ઉપરથી કોઈ પ્લેન પણ ઉડતું નથી.
  • અહીં દર 12 વર્ષે મૂર્તિ બદલી દેવામાં આવે છે. તેમજ મંદિરની ધજા રોજ બદલવામા આવે છે, જો બદલવામા ન આવે તો આવતા 18 વર્ષમાં મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

અમદાવાદના જગન્નાથ મંદિરના રથયાત્રાની માહિતી (Jagannath Rath Yatra Ahmedabad)

  • સાબરમતી નદી પાસે જમાલપુર ખાતે આવેલું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે.
  • હનુમાનદાસજી દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
  • સારંગદાસજીએ ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિ પણ મંદિરમાં સ્થાપી હતી.
  • 144 વર્ષ પહેલા મંદિરના મહંત નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાની શરુઆત કરવામાં આવી હતી.
  • અહીં સાગના લાકડામાંથી બનેલા રથ પર ભગવાન નગરચર્યા કરે છે.
  • પુરી પછીની બીજા નંબરની મોટી રથયાત્રા અમદાવાદમાં થાય છે.
  • રથયાત્રામાં (Jagannath Rath Yatra Ahmedabad) હાથી, અખાડા, ભજન મંડળી અને કર્તબબાજો જોડાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

Read Also

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન જગન્નાથ મામા ઘરે સરસપુર પહોંચી બપોરે આરામ કરીને સાંજે નીજ મંદિરમાં પરત ફરે છે.
  • મંદિરના મહંત મહારાજ નરસિંહદાસજી દ્વારા ભૂખ્યા માટે અન્ન ભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું.
  • વર્તમાન સમયમાં રોજના બે હજાર જેટલા ગરીબ, ભિખારી તેમજ જરૂરીયાતમંદ લોકોને ભોજન મળે છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • આ ઉપરાતં અહીં ગૌમૂત્ર આધારિત આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર, રોગગ્રસ્ત લોકોની સારવારાર્થે કાર્યરત છે.
  • 1878માં શરૂ કરવામાં આવેલી રથયાત્રા હાલ અમદાવાદની ઓળખ બની છે.
  • જય રણછોડ, માખણચોરના નાદ સાથે શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

આ સાથે ગુજરાતમાં અમદાવાદ બાદ રાજકોટ અને વડોદરામાં પણ પરંપરાગત રથયાત્રા યોજાવામાં આવે છે. પરંતુ અમદાવાદની રથયાત્રાનું અનેરું મહત્વ છે. જીવનમાં એકવાર અવશ્ય આ અમદાવાદની રથયાત્રાના (Jagannath Rath Yatra Ahmedabad) દર્શન કરવાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવવા જેવી છે.

આલેખન – રાધિકા મહેતા