Tag Archives: Kantharpura

ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત

Kantharpura Mahakali Vad

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામે વડનું એક વિશાળ વૃક્ષ આવેલું છે. વડના આ વિશાળ વૃક્ષના કારણે કંથારપુરા ગામ ગુજરાતભરમાં પ્રસિધ્ધી પામી રહ્યું છે. જેના કારણે કંથારપુરા ગામ પ્રવાસીઓ માટેની પસંદ બની રહ્યું છે.

Kantharpura Mahakali Vad

અમદાવાદથી 51 કિમી. અને ગાંધીનગરથી 30 કિમી. દુર આવેલું કંથારપુરા ગામ તેના 500 વર્ષ જુના વડના કારણે ગુજરાતભરમાં જાણીતું બન્યું છે. 2006 પહેલાં કંથારપુરાની આજુ-બાજુના લોકો જ તેનાથી માહિતગાર હતા. પરંતુ 2006ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કંથારપુરાને પ્રાકૃતિક પ્રવાસ ધામ તરીકે વિકાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ધીરે-ધીરે આ જગ્યાની લોકપ્રિયતા વધવા લાગી અને હાલ ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો આ વિશાળ અને રહસ્યમય વટવૃક્ષની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા છો તો એક દિવસના પિકનિક માટે આ એક પરફેક્ટ જગ્યા છે.

Kantharpura Mahakali Vad

કંથારપુરામાં (Kantharpura Mahakali Vad) આવેલા વડની જાણવા જેવી બાબતો

  • ગુજરાતના વિશાળ વૃક્ષમાં કબીરવડ પછી કરવામાં આવે છે કંથારપુરાના (Kantharpura Mahakali Vad) વડની ગણતરી
  • આ વડનું વૃક્ષ 40 મીટર ઊંચું અને અડધા એકરથી વધુ એટલે કે કુલ 2.5 વિઘા જમીનમાં છે પથરાયેલું
  • વડનું વૃક્ષ બારેમાસ રહે છે લીલુંછમ
Kantharpura Mahakali Vad
  • માન્યતા મુજબ આ વડના વૃક્ષનું આયુષ્ય છે 500 વર્ષ
  • આ વડના મુખ્ય થડમાં આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર
Kantharpura Mahakali Vad
  • અહીંની લોકવાયકા અનુસાર આ વડની નીચે આવેલી છે પુરાતન વાવ
  • હાલના સમયમાં આ વાવના એકપણ પુરાવા મળેલા નથી
  • નવરાત્રીના સમયમાં અહીં ભરાઈ છે લોકમેળો
Kantharpura Mahakali Vad
  • આજુ-બાજુના ગામના લોકો શ્રદ્ધાપૂર્વક આવીને કરે છે મહાકાળી માતાજીના દર્શન
  • આ વડ પર કાયમીપણે વાંદરાઓનું મોટું ટોળુ કરે છે વસવાટ
  • આશરે 50 થી પણ વધારે વાંદરાઓ પોતાના પરિવાર સાથે કરે છે વસવાટ
Kantharpura Mahakali Vad
  • 500 વર્ષ જુનું આ વડનું વૃક્ષ છે પક્ષીઓનુ રહેણાંક સ્થળ
  • સવાર થતાં જ સાંભળવા મળે છે પક્ષીઓનો કલરવ
  • વડના વૃક્ષની વિશાળતા આવનાર સૌને કરી દે છે મંત્રમુગ્ધ
  • અહીં મુલાકાતે આવતા જ દુરથી વિશાળ છત્રાકાર આકાર પડે છે નજરે
Kantharpura Mahakali Vad

કોઈપણ વ્યક્તિ વડને (Kantharpura Mahakali Vad) નુકશાન પહોંચાડવાની કે કાપવાની નથી કરતુ હિંમત

આ વડ દિવસે ને દિવસે જમીનમાં ચારેય દિશામાં આગળ ને આગળ વધતું જઈ રહ્યું છે. કંથારપુરા ગામના ખેડૂતોની જમીનના વીઘાનો ભાવ લાખોમાં છે. તેમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને કારણે લાખોની જમીન વડ માટે જતી કરે છે અને મંદિરને દાનમાં આપી દે છે. આ વડ જમીનમાં ફેલાતું જઈ રહ્યું છે એની પાછળ ધાર્મિક આસ્થા તો જવાબદાર છે પણ સાથે સ્થાનિકોનું એવું પણ માનવું છે કે જો કોઈ વ્યક્તિ વડને નુકસાન પહોંચાડે છે તો એ વ્યક્તિને પણ નુકશાન પહોંચે છે. આ કારણના લીધે કોઈપણ વ્યક્તિ વડને નુકશાન પહોંચાડવાની કે કાપવાની હિંમત કરતું નથી. આમ કોઈ આસ્થાના લીધે પોતાની જમીન મંદિરને દાનમાં આપી દે છે તો કોઈ નુકશાન થવાના ડરે વડને કાપતા નથી અને ખેતરમાં ફેલાવા દે છે. આ બંને કારણોના લીધે આજના સમયની વાત કરીએ તો આ વડ અડધા એકર કરતા પણ વધારે જમીનમાં ફેલાઈ ગયું છે.

Kantharpura Mahakali Vad

આ વિશાળ વડને કારણે કંથારપુરા (Kantharpura Mahakali Vad) ગામમાં વિકસ્યું છે પ્રવાસન

ગુજરાતના વટવૃક્ષમાં કબીરવડ પછી કંથારપુરાના વડની ગણતરી થાય છે. આ વડ પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ તો ધરાવે જ છે. પરંતુ આ વડને કારણે કંથારપુરા ગામમાં પ્રવાસન પણ વિકસ્યું છે જેના લીધે સ્થાનિકોને રોજગારી મળતી થઈ છે. વડની આજુ-બાજુ કુલ 25 કરતાં વધારે નાની-મોટી દુકાનોની સાથે પાથરણાં આવેલા છે, આ દુકાનો અને પાથરણાંના કારણે 35 થી 40 પરિવારોનું ગુજરાન ચાલે છે. આ પરિવારો દ્વારા પૂજાનો સામાન, બાળકો માટે રમકડાંઓ અને ખાણી-પીણીની વસ્તુઓ વહેંચીને પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે.

Kantharpura Mahakali Vad

આડા દિવસે તો મહાકાળી માતાજીના મંદિરમાં લોકો દર્શન માટે આવે જ છે. પરંતુ ખાસ કરીને પૂનમ તેમજ તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે અહીં આવતાં હોય છે. જયારે નવરાત્રીના સમયમાં યોજાતા મેળામાં પણ લોકોની ખાસ ભીડ જોવા મળે છે. આ સાથે ડીજીટલ યુગમાં ઈન્ટરનેટ અથવા તો કોઈ બીજા માધ્યમથી આવડા મોટા વડની વાત સાંભળીને લોકો કુતૂહલવશ થઈને આ વડને જોવા માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી કંથારપુરા ગામની મુલાકાતે આવે છે. આમ હાલમાં કંથારપુરા ગામ આ વડનાં કારણે પીકનીક સ્પોટ પણ બની ગયું છે.

મહાકાળી માતાજીના મંદિરમાં આવેલી છે માતાજીની 2 મૂર્તિ

અહીં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની બે મૂર્તિ છે. સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે એક મૂર્તિ સ્વયંભુ પ્રગટ થયેલી છે જયારે બીજી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી. અહીંયા રોજે સવાર-સાંજ માતાજીની આરતી થાય છે. જેમાં માતાજીના બંને મૂર્તિની વિશેષરૂપે પુજા કરવામાં આવે છે. જેમાં માતાજીનો શણગાર કરવામાં આવે છે. મંદિરમાં ઘીનો એક અખંડ દીવ પ્રગટે છે, મહાકાળી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

Kantharpura Mahakali Vad

વડની જાણવા જેવી માહિતી

વડના વૃક્ષને ભારતનાં “રાષ્ટ્રીય વૃક્ષ” તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. વડનું વૃક્ષ ઘટાદાર અને મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. વર્ષો પુરાણા અને મોટા વડની ડાળીઓમાંથી નવાં મૂળ ફુટે છે જેને “વડવાઇ” કહેવાય છે. આ વડવાઇઓ સમય જતાં વધતી જાય છે અને ત્યારબાદ જમીનમાં રોપાઈ જાય છે. આ રીતે વૃક્ષનો વિસ્તાર વધતો જાય છે અને વૃક્ષ ફેલાતું જાય છે. ઘણીવાર એવું બને છે કે આવા ઘનઘોર વૃક્ષના મૂળ થડની માહિતી જ નથી મળી શકતી. આવું જ એક વૃક્ષ ગુજરાતના નર્મદા કિનારે આવેલું કબીરવડ છે. જે અંદાજે 300 વર્ષથી વધારે જુનું છે. એવું કહેવાય છે આ વૃક્ષ એટલું મોટું છે કે એના નીચે 5000 કરતા વધારે લોકો આરામ કરી શકે છે.

Read Also

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

Kantharpura Mahakali Vad

વડનાં આ વૃક્ષ પર લાલ રંગનાં નાનાં-નાનાં ફળ આવે છે. જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. વડનાં આ ફળને “ટેટા” કહેવાય છે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં આ ફળ જુદાં-જુદાં નામથી ઓળખાય છે. આ સાથે વડનું વૃક્ષ પૂજનીય માનવામાં આવે છે. કુમારિકાઓ વડ સાવિત્રીના વ્રત વખતે વડના વૃક્ષની પૂજા કરે છે. તેમજ વડનું વૃક્ષ કુદરતી ઓક્સિજનની ખાણ માનવામાં આવે છે. આ ઉપરાંત વડનું વૃક્ષ આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. ઘણા બધા રોગોમાં વડનું વૃક્ષ એક ઔષધિ તરીકે પણ કામ કરે છે.

  • મહાકાળી વડ, કંથારપુરા (કંથારપુરા) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 51 km.) – Rs.1500-2000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1000 – 1500
  • જમવાનો ખર્ચ – Rs.800 – 1200
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.500 – 1000
  • કુલ – આશરે 3,300 થી 5,700/—
  • અંતર (Distance)
  • સુરતથી – 302 km.
  • વડોદરાથી – 148 km.
  • અમદાવાદથી – 51 km.
  • રાજકોટથી – 266 km.
  • કચ્છ – 424 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કંથારપુરા બસ સ્ટોપ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ